________________
[ ૬૦ ]
ધ્યાનદીપિકા
આત્માને સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે અને વિશુદ્ધ છે. જાણવાનો સ્વભાવ તે આત્માનું સ્વરૂપ છે. જડમાં જાણવાનો ગુણ નથી. દેહમાંથી આત્મા જુદો થતાં દેહમાં જરા પણ જાણવાનો ગુણ દેખાતું નથી. મૃતક શરીરની આ સ્થિતિ આપણે સર્વના જાણવામાં છે. શરીર આખુ છતાં તેમાંથી એવું શું ચાલ્યું ગયું કે બેલવું, ચાલવું, વિચારવું બંધ થયું? ઉત્તર એ છે કે જેની મદદથી ક્રિયા થતી હતી. અને તેમાં જે જાણનાર હતું તે જ આત્મા હતા કે જેની ગેરહાજરીથી તેમ થતું અટકી પડયું છે.'
આત્માને સ્વભાવ આનંદમય છે. આ આનંદ સ્વભાવની પ્રતીતિ જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે વિકપ બંધ પડે છે અને મન આત્મામાં ગળી જવાની તૈયારી કરે છે તે વખતે અનુભાય છે. દુનિયાનાં ઉપાધિજન્ય સુખ કે જે ઈદ્રિયથી અનુભવાય છે તેથી જે આનંદ થાય છે તે શુદ્ધ આનંદ નથી તે સ્વતંત્ર આત્માને આનંદ નથી પણ પુદગલેથી મિશ્રિત છે. આ શુદ્ધ આનંદ સ્વભાવ પુદગલોમાં નથી. પુદગલના સ્વરૂપને પણ આત્માની મદદથી જાણી શકાય છે. આત્માનો સ્વભાવ વિશુદ્ધ છે. તે વિશુદ્ધિને લઈને લોકાલકને પણ જાણી શકે છે યાને દેખી શકે છે. તેના વિશુદ્ધ સ્વભાવ ઉપર કર્મ–અણુઓને પડદે છે કે જેને લઈને તે કલંક્તિ થયા છે, મલિન થયેલ છે તેને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થયેલ નથી છતાં પણ અત્યારે જેટલું દેખી શકીએ છીએ, તે તેના છેડા પણ વિશુદ્ધ સ્વભાવને આભારી છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માના આઠ રુચક પ્રદેશ નિરંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org