________________
ધાનદીપિકા
[ પ પ ]
છે અને સાથે તેને સ્વાર્થ પણ રહે છે. આ કારણથી તે તેઓનું પોષણ કરે છે. આ મેહ કે અભિમાન ન હોય તે તેનું પરિણામ શું આવે છે તે સ્વાનુભવથી કે દુનિયામાં બનતા દાખલાથી પ્રત્યક્ષ વિચારવા જેવું છે.
એક સ્ત્રી ઉપરથી ગમે તે કારણે મોહ ઓછો થતાં બીજી સ્ત્રી પરણે છે. તેમાં વિશેષ મોહ લાગતાં પહેલી સ્ત્રી ઉપરથી મોહ છૂટી જાય છે. તે વેળાએ તેના તરફ કેવું વર્તન કરાય છે તેના પોષણને માટે શું થાય છે? પિષણ આપવાની તે વાત શી પણ તે સ્ત્રી નજરે દીઠી પણ ગમતી નથી. કદાચ લેકલાજથી અનિચ્છાએ પોષણ આપવું પડે છે કે રાજાના ભયથી આપવું પડે છે તે પણ ઘણું થોડું જ. આ ઉપરથી નિશ્ચય થાય છે કે મેહથી જ પહેલાં પિષણ કરાતું હતું.
પિતાના કુટુંબના મનુષ્ય દુઃખી થતાં હોય અને તે દેખી અન્ય કોઈ જરા મેણુટેણાં મારે કે તમે શું મોટું લઈને બેલો છે? તમારા કુટુંબીએ તે આમ દુઃખી થાય છે. ત્યારે અભિમાનવૃત્તિથી વિચાર કરે છે કે મારા કુટુંબીઓ (મારા બેઠા મારી હયાતીમાં) દુઃખી થાય અને હું જોઈ રહું તે ઠીક નહીં લેકમાં પણ છેટું દેખાય છે, ઈત્યાદિ અભિમાન કે લેકક્લાજના વિચારથી તેના પાલન માટે પ્રયત્ન કરે છે. સ્વાર્થને લીધે પણ પિષણ કરાય છે સ્વાર્થ પૂરે થતાં દશ વર્ષ દૂધ આપ્યું હોય કે પંદર વર્ષ ખેડ કરી કે ગાડી ખેંચી હોય તેવા વૃદ્ધ (ઘરડા થયેલા) ગાય, ભેંસ, બળદ કે ઘડાને પાંજરાપોળમાં મૂકવા દેડક્યા જાય છે. આનું કારણ સ્વાર્થ નહીં તો બીજુ શું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org