________________
[[ પર ]
ધ્યાનદીપિકા
હું કરીશ, હું કરાવીશ, હું બીજા કરનારને સારું માન અનુમોદન આપીશ એટલા જ માત્ર આખા લેકમાં કમી બાંધવાના કારણરૂપ ક્રિયાઓના ભેદ જાણવાના છે.
સર્વથા આ કર્મ આવવાના રસ્તાઓ બંધ થઈ શકે તેમ છે કે નહીં? જવાબમાં તે આટલું જ કહેવું બસ છે. કે તે બંધ થઈ શકે તેમ છે પણ અનાદિ અભ્યાસને લીધે કામ વિકટ જેવું લાગે છે. શરૂઆત આવી રીતે સરલ થઈ શકે કે પ્રથમ અશુભ (ખરાબ) કર્મો પ્રબળ પ્રયત્ન કરી ઓછા કરવા અને તેનું સ્થાન સારા કર્મોને આપવું એટલે સારા કર્મોનો વધારો થતાં અશુભ ઓછા થશે. પછી આત્મજ્ઞાનને મુખ્ય કરી શુભ કર્મોને પણ રાજીખુશીથી રજા આપવી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરતા રહેવું. છેવટે બન્ને જાતનાં કર્મો બંધ પડતા જન્મમરણે થતાં અટકશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. - આ સિવાય નાના પ્રકારની જીની જાતિમાં જન્મમરણ ચાલુ જ રહેશે. આ સંસારવિચારની ભાવનાની મન ઉપર મજબૂત અસર બેસાડવી. સંસારમાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સાગ, વિયેગથી જે કેવા આકુળવ્યાકુળ થઈ રહ્યા છે ! ક્ષણે ક્ષણે આયુષ્ય પૂર્ણ થતાં જીવ મરણ કરી રહ્યા છે ! દેવેંદ્રોથી લઈ એક કીડા પર્યત જન્મમરણને કે વિષમ ઘંઘાટ મચી રહ્યો છે! એક આત્મજ્ઞાની સિવાય જન્મમરણને લઈ કોઈ પણ જીના હદય શાંતિવાળા નથી. આ પ્રમાણે રાજા, રાંક, ગરીબ, ધનાઢય, રોગી, નરેગી, સુખી, દુઃખી, બુદ્ધિમાન, મૂર્ખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org