SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૫૧ ] અને સ્થિર રહે તેવી ત્રસસ્થાવરની જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. આસક્તિવાળા રાગદ્વેષની લાગણીઓવાળા કર્મોની જ પ્રેરણાથી ઉત્પન્ન થવાપણું અને મરવાપણું હોય તે તે કર્મો જ બંધ કરવા જોઈએ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ જ ન થાય. આ વાત બરાબર છે પણ આ જીવે પોતાની અજ્ઞાનાવસ્થામાં કર્મના સંચાએ ગોઠવી મૂકેલા છે, ચાવી એવી મજબૂત ચડાવી મૂકેલી છે કે ઈચ્છા હોય કે ન હોય પણ કર્મ કર્યા સિવાય તેને ચાલતું જ નથી પછી તે મનથી, વચનથી કે શરીરથી પિતે કરતા હોય કે અન્ય પાસે કરાવતા હોય અગર કેઈ કરતું હોય તો તેને સારું જાણતા હોય તેની અનુમોદના કરતા હોય પણ તે સંચાઓ ચાલ્યા જ કરવાના. તથાપિ જે અભિમાનથી, અહંકારથી કે મમત્વની લાગણીથી કમ કરાય છે તે કરતાં અટકવું જોઈએ. આપણા હાથમાં આત્મભાવને સમજ્યા પછી આટલું જ હથિયાર રહે છે કે આસક્તિ વિના તેના ફળની ઈચ્છા વિના યોગ્ય કાર્ય કરતા જ રહેવું અને જે ઉદય આવે તેને રાગ છેષ કે હર્ષશેકના પરિણામ કર્યા સિવાય સમભાવે ભોગવતા રહેવું. અહંભાવ જ કર્મબંધનું મુખ્ય અને અટલ કારણ છે આ સંબંધમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – ___ अकरिस्सं चहं काराविसं चहं करओ यावि समणुन्ने भविस्सामि. एयावंति सव्वावंति लोगसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy