________________
[ ૫૦ ]
ધ્યાનદીપિકા
જન્મતી વખતે ઘણું વેદના થાય છે. તે વખતે વિશેષ પ્રગટ જ્ઞાન ન હોવાથી તે અનુભવાય છે. વૃદ્ધાવસ્થાની સ્થિતિ મનુષ્યોથી અજાણ નથી ગાત્ર શિથિલ થાય છે ઈદ્રિય નરમ પડે છે એટલે આંખે પૂરું દેખાતું નથી પગે ચલાતું નથી, કાને સંભળાતું મંદ થાય છે. શરીર ધ્રુજે છે દાંત પડી જાય છે, મોંમાંથી લાળ ચાલુ પડતી રહે છે. વિગેરે શરીરની વિષમ સ્થિતિરૂપી વમળ દુઃખરૂપ છે.
સમુદ્રમાં વડવાનળ બળી રહ્યો છે. તે પાણીને શેલી. નાખે છે, તેમ મરણ આયુષ્યરૂપ પાણીને સુકાવી નાખે છે, આવા સમુદ્રમાં માછલાંઓ-મેટા-મચ્છ ભમ્યા કરે છે. પાણીના વમળ અને વડવાનળના અસહ્ય તાપથી દુઃખથી ઘણું હેરાન થાય છે અને વારંવાર જન્મમરણ કરે છે તેમ જ આ સંસારમાં જન્મ, જરા, મરણના સપાટાથી વારંવાર અસહ્ય દુઃખને અનુભવ કરતા જે અનેક ગતિઓમાં પ.િ ભ્રમણ કરે છે. આત્મસ્વરૂપ રૂ૫ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય શાંતિ થવાની જ નથી. ૨૦,
उत्पद्यन्ते विपद्यन्ते त्रसेषु स्थावरेषु च
स्वकर्मप्रेरिता जीवाः संसारस्येतिभावनाः ॥२१॥ પિતાના કર્મથી પ્રેરાયેલા છે, રસ અને સ્થાવરોમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. એ સંસારભાવના છે. ૨૧.
ભાવાર્થ:–સારા કે નઠારા જેવા કર્મ કર્યા હોય તેના પ્રમાણમાં તે જ કર્મ પ્રેરણા વડે જી હાલચાલે તેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org