SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૪૯ ] સંસાર ભાવના ત્રીજી ભાવના संसारदुःखजलधौ चतुर्गतावत्र जन्मजरावर्ते । मरणार्तिवाडवाग्नौ भ्रमन्ति मस्त्या इवांङ्गभृतः ॥२०॥ ચાર ગતિને વિષે જન્મ, જરારૂપ આવર્તવાળા, મરણની પીડારૂપ વડવાગ્નિથી બળતા આ સંસારરૂપ દુખસમુદ્રમાં માછલાંઓની માફક જ ભમ્યા કરે છે. ૨૦ ભાવાથ:–સંસારમાં કોઈ શરણ રાખનાર નથી એમ બતાવ્યા બાદ આ સંસાર સ્વરૂપને નિશ્ચય કરો એટલે મન ઉપર તેને પુટ આપે યા મનને તેની ભાવના આપવી કે જેથી તેમાં મોહ ન પામતા પોતાના સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ થાય. સંસારને એક દુઃખમય સમુદ્રની ઉપમા આપે છે. સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી રૂપી ચાર ગતિથી ભરેલો છે અથવા ચાર ગતિ તે સંસાર છે સમુદ્ર પણ ચારે દિશામાં પાણીથી ભરેલો છે. સમુદ્રમાં જોરથી પડતી (આવતી) નદીઓના પાણીથી કે સમુદ્રમાં રહેલા પહાડો સાથે પાણીના અફળાવાથી ભયંકર આવાઁ (ભમરીઓ-વમળો) પડે છે. ભયંકર એટલા માટે કે તેમાં સપડાયેલું કઈ પણ વહાણ કે જીવ ઘણે ભાગે તેમાંથી બચવા પામતું નથી પણ અફળાઈ અથડાઈને તેમાં જ નાશ પામે છે. આ બાજુ સંસારમાં દુઃખરૂપ જન્મ અને વૃદ્ધાવસ્થા એ જ આવત (વમળો) છે. જન્મનું દુઃખ સામાન્ય નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy