________________
[ ૪૮ ]
ધ્યાનદીપિકા
પાસે અમૃત છે. દેવે પોતે પણ અમર કહેવાય છે, એટલે તેમની આગળ મરણથી બચવાને ઉપાય હોવો જોઈએ.
આને ઉત્તર કહે છે કે દેવોની પાસે અમૃત છે તે ભલે હે પણ તે અમૃત આ મરણથી બચવા માટે ઉપયોગી થતું નથી. મરણથી બચવા માટે તે અમૃત પણ નિષ્ફળ નીવડયું છે. દેવ અમર કહેવાય છે તે પણ નામના જ અમર છે. બાકી તેમને પણ મરવું તે પડે છે. જે મરણથી તે તમારે બચાવ કરી શકતા હોય તે પહેલા પોતાને બચાવ તેઓ કેમ ન કરે? અથવા દેએ મરણથી બચવા માટે સેંકડો ઉપાય કર્યા છે પણ ન તે પિતે બચ્યા છે કે નહિ તે બીજાને બચાવી શક્યા છે. મહાત્માજી આનંદઘનજી કહે છે કે
ઇ, ચંદ્ર, નાગેન્દ્ર, મુનીંદ્ર, ચલે કેણ રાજા પતિ શાહ રાઉ ?મહાન ઇદ્રો, ચંદ્રાધિપતિ દે ભુવનપતિના નાગકુમારાદિ ઇદ્રો સમર્થ તીર્થકરે–તેઓ આ દુનિયા ઉપર સર્વે ધારણ કરેલા દેહમાંથી ઊઠીને દેહને મૂકીને ચાલ્યા ગયા. કેણ રાજા? કેણ માલિક? કોણ શેઠ? અને કોણ રાંક? સર્વેની એક જ ગતિ છે.
મહાનુભા! આ અશરણના સંબંધી વિચાર કરી કેઈને માલિક બનવાને કે કોઈને શરણે રાખી અમર કરવાના વિચારને કે તેવા અહંકારને ત્યાગ કરો અને પરમાત્મપરાયણ થઈ શુદ્ધ આત્મદેવનું શરણ લે કે શુદ્ધ આત્મસ્થિતિમાં મરણને ભય નથી. આથી પિતાને બચાવી શકાય છે અને અન્યને બચાવી લેવા માટે પણ આ જ રસ્તે કામે લેવાય છે. ૧૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org