________________
ધ્યાનદીપિકા
[ ૪૭ ]
હોય તે પણ તેમનું શું પ્રયોજન છે? કંઈ નહીં. આશય એ છે કે વિષયો શરણભૂત નથી પણ તેમાં કરાતી આસક્તિ મરણ દેવાવાળી છે. વિષય માટે મોટી મોટી લડાઈઓમાં ઊતરી હજારે મનુષ્યના જાન લીધા છતાં પરિણામ એ આવ્યું કે તે વિષયને અહીં મૂકી દઈ હાથ ઘસતા હાયવય કરતા અને નિસાસા મૂકતા તેઓ એકલા જ ઘોર ગતિમાં રૌરવ દુઃખનો અનુભવ કરવા લાગ્યા અને જેને માટે સંગ્રામ કરવાની જરૂર પડી હતી તે પૃથ્વી કે પત્નીને
તે બીજા ઉપભોગ કરવા લાગ્યા. આ પ્રમાણે સર્વે વિષચેની સ્થિતિ છે એટલે વિષ ઉપરનું મમત્વ એ આપણું રક્ષક નથી પણ ભક્ષક છે, તેનાથી આપણે બચાવ નથી પણ નાશ છે માટે આપણે ખરા બચાવ કરનારની શોધ કરી આશ્રય લેવાની જરૂર છે અને તે જ તમારો બચાવ કરનાર તમારો મહાન શક્તિવાન આત્મા જ છે તેને ઓળખ તેમાં જ તમારું કલ્યાણ રહેલું છે અને તે જ કર્તવ્ય છે. ૧૮.
नीयमानः कृतान्तेन जीवोत्राणोऽमरैरपि।
प्रतिकारशतेनापि त्रायते नेति चिंतयेत् ॥१९॥ - યમ વડે લઈ જવાતા અશરણ જીવનું સેંકડો ઉપાય વડે દેવે પણ રક્ષણ કરી શકતા નથી એમ વિચારવું ૧૮
ભાવાર્થ :–દે પણ મરણને શરણ થાય છે છતાં તેની આગળ કાંઈ ઉપાયો હોય અને મરણને શરણ થતા અને અગર તો પિતાને જ કેઈપણ ઉપાયથી બચાવ કરે તે સારી વાત છે. એમ સાંભળવામાં આવે છે કે દેવેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org