SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬ ] ધ્યાનદીપિકા કરનારી વિદ્યા અપ્રતિહત શક્તિવાળા શસ્ત્રો ભૂત-ભવિષ્યના સમાચાર આપનારી રોહિણી પ્રમુખ વિદ્યાદેવીએ અનેક કળા નિપુણ વિદ્યાધરીઓ અને ફરવાના આકાશગામી વિમાને તેમાંથી કોઈપણ બચાવે તેમ છે? હે અનાથ અને અશરણું જી! જડ માયાથી બચવા માટે તેમાંથી આસક્તિ દૂર કરવા માટે તમારા શુદ્ધ આત્મદેવને શરણે જાઓ. ૧૭. ઈદ્રિના વિષયને ઉપભોગ એ તમારો બચાવ નથી. इंद्रियभरानुभूतैरद्भुत नवरसकरैश्च निजविषयैः । श्रुतदृष्टलब्धमुक्तैर्यदि मरणं किं ततस्तै ः ॥१८॥ ઇદ્રિયના સમૂહ વડે અનુભવાતા અદ્દભુત નવરસને ઉન્ન કરનાર સાંભળેલા, દેખેલા, મેળવેલા અને ભગવેલા પોતાના (મેળવેલા) વિષયે વડે કરીને જે મરણ થાય તે પછી તે માનવો! તે વિષનું પ્રયોજન શું છે? તે વિષમાં અધિક્તા શાની ? અર્થાત્ તેમાં શો સ્વાર્થ સંધાય છે અગર ફાયદો લાગે છે? ૧૮. ભાવાર્થ –જેનું શરણ તેનાથી જ ભય ઉત્પન્ન થત હોય તે તેનું શરણ શા કામનું ? જે સોનું કાન તેડતું હોય તો પછી તેને કાને વળગાડવાનું પ્રયોજન શું? તેમ જ ઈદ્રિના સુંદર વિષયે કે જેને મેળવવા માટે મનુષ્ય અહોનિશ પ્રયત્ન કરી રહ્યા છે ભવિષ્યમાં પિતાને ઉપગી થશે તેમ ધારી સંચય કરી રહ્યા છે અને વર્તમાન કાળમાં ઈચ્છાનુસાર તેને ઉપયોગ લઈ રહ્યા છે તે વિષયથી મરણ થતું હોય તે પછી તે ગમે તેવા દેખાવથી લલચાવનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy