SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૪૫ ] = = કરનારાને કા તરીકે ચિ આ મના કરનારવિદ્યાધરો તેઓ પણ મરણના પાશમાં સપડાઈ અનાથ અશરણ થઈ પરલોકમાં ગમન કરે છે, તેમને કેઈનું શરણ નથી. કરોડે મનુષ્યો પર હુકમ ચલાવનારાઓ લા ગામો ઉપર અમલ કરનારાઓ હજારો શત્રુઓના જાન લેનારાઓ અને દુનિયામાં અક્રેત યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામેલા મહાન ચક્રવતી જેવા લાખો રાજામહારાજાઓ આ યમરાજાની રણભૂમિમાં એવી લાંબી શય્યા પર પોઢ્યા છે કે તેમના નામનિશાનનો પણ પત્તો નથી. જેઓ મેટાં સિહાસને શોભવતા હતા તેવા અનેક વીરે રાણીજાયાઓએ પણ છેવટે સ્મશાનભૂમિને જ શોભાવી છે. અર્થાત્ સ્મશાનભૂમિને જ આશ્રય લીધો છે. શરણાગત વત્સલના બિરુદ ધરાવનારા વીર પુરુષો ક્યાં ગયા? કાળના ઝપાટામાંથી કોણ બચ્યું છે? “હું તમારું રક્ષણ કરીશ” આવા વચને આપનારા વીરને ક્યાં છુપાઈ ગયા? ઓ પામર મનુષ્ય કીડાઓ તમે શું કરી શકે તેમ છો? તમારા પોતાના બચાવને પણ ઉપાય કરી શકતા નથી તે તમે શાનો ગર્વ ધરાવો છો ? આ ધન, ધરા, દારા વિગેરેએ કેઈનો બચાવ કર્યો છે ખરો કે? શા માટે તેમાં મમત્વ ઘર છો? કેના આશયથી નિશ્ચિત થઈને એશઆરામ કરો છો? ચેતે ! અને તમારા બચાવના ઉપાય શોધ !! જ્યાં આશા બાંધી છે ત્યાંથી તો અવશ્ય નિરાશા જ મળશે. મનુષ્યોથી વધારે શક્તિ ધરાવનારા ગગનગામી વિદ્યાધરો! તમારી પણ આ જ સ્થિતિ છે. તમારી ગગનગામી શક્તિરૂપ પરાવર્તન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy