SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૩૯ ] આ પ્રમાણે નિત્યાનિત્યને વિવેક કરી મન ઉપર તેની મજબૂત અસર કરે છે જેથી પુગલના સંગવિયોગથી તેમાં હર્ષ કે આસક્તિ ન થતાં શેક ન કરતાં મન મધ્યસ્થ સ્થિતિ ધારણ કરવાનું શીખે ૧૪. अक्षार्थाः पुण्यरूपा ये पूर्वस्युस्ते क्षणेन च । अक्षाणामिष्टतां दत्त्वाऽनिष्टतां यान्त्यहो क्षणात् ॥१५॥ પહેલાં જે સુંદર રૂપવાળા ઇંદ્રિયેના વિશે હતા તે ક્ષણ વારમાં ઇદ્રિને ઈષ્ટપણું આપી પાછા અહે! ખેદની વાત છે કે એક ક્ષણવારમાં અનિષ્ટતાને પ્રાપ્ત થાય છે. ૧૫. અહો ! ખીલેલા પુપોના સુંદર બગીચાઓ પ્રાતઃકાળમાં મનુષ્યોને કે આલાદ આપે છે? વૃક્ષોની કે જેમાં કલરવ કરતા પંખીઓના મધુર સ્વર કાનને કે આનંદ આપે છે? પુષ્પોને સુંદર સુગંધી પરાગ નાસિકાને કે તૃપ્ત કરે છે! મલયાચળને સ્પશીને આવતે મંદ મંદ પવન રોમેરેામમાં કેવી શાંતિ ઉત્પન્ન કરે છે? વિવિધ પ્રકારના મિષ્ટ પકવાને તીખાતમતમતા શાકે, સ્વાદિષ્ટ ફળો અને સંસ્કારિત મધુર પાણી આદિના સ્વાદની લહેજતની તો વાત જ શી કરવી? આ સર્વ પદાર્થો આખા શરીરને આનંદમય કરી સુખના સાગરમાં ડુબાવે છે. અરે! તે કેટલી ઘડી સુધી? પુષ્પો કરમાઈ જાય છે, વૃક્ષો સુકાઈ જાય છે, પંખીઓ મરી જાય છે, સુગંધ તે દુર્ગધનું રૂપ ધારણ કરે છે, શીતળ પવન તાપને લઈ ગરમ લુનું રૂપ પકડે છે, વિવિધ પ્રકારના ભેજનપાણી વિષ્ટા અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy