SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮ ] ધ્યાનદીપિકા મળી શકે ખરું કે? અને પાછું કાયમ ટકી શકે કે કેમ? આને ઉત્તર તમને શું મળશે તે કહો તો ખરા ? ઉત્તર એ જ કે આ સર્વ ક્યાંય ગયું નથી, આ દુનિયા ઉપર જ છે. તે વસ્તુના સ્વભાવ પ્રમાણે તે રૂપાંતર પામી ગયું છે, ચાલ્યું જવાનું કારણ એ જ કે તે પુણ્યને લઈને આવી મળ્યું હતું અને તે પુણ્ય પૂરું થઈ જતાં અન્ય પુણ્યવાન જીવની પાસે ચાલ્યું ગયું. તેની પાસે નહીં ટકી રહેવાનું કારણ, એ જ કે તેણે પૂર્વનું પુણ્યનો અનુભવ લઈ લીધે અને જેને લીધે તે મળી આવ્યું હતું અને જેને પ્રતાપે વધારે વખત ટકી રહે અગર ફરી મળી આવે તેવું પુણ્ય તેવાં સારાં કામ તેણે આ જિંદ. ગીમાં ક્ય ન હતાંહજી પણ તે આ જિંદગીમાં સારા કામ કરે અને આ માનવદેહને સદુપયોગ કરે તો પાછો તેવી સ્થિતિ મેળવી શકે ખરો. છતાં તે ફરી મેળવેલી સ્થિતિ પાછી કાયમ ટકી શકે કે કેમ તે એક સવાલ છે. કારણ? કારણ એ જ કે વસ્તુઓને સ્વભાવ જ અનિત્ય છે. એક રૂપે તે રહી શકે જ નહીં, અનિત્ય કઈ દિવસ નિત્ય ન જ થાય. નિત્ય આત્મસ્વરૂપ છે, ગમે તેવી સારી કે વિષમ સ્થિતિમાં તે તમારી પાસે રહે છે. વસ્તુઓના અનેક પરાવર્તન થવા છતાં તે આત્મદ્રવ્ય કાયમનું કાયમ જ છે. માટે મહાનુભાવો! તેને જ શુદ્ધ કરવા પ્રયત્ન કરે. અજ્ઞાન હઠાવો, તેને (આત્માને) સારી રીતે ઓળખે તેને જ આશ્રય લો! બીજી આળપંપાળ મૂકી દે, ગમે તે વખતે પણ કાયમની શાંતિ તેનાથી જ મળશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy