________________
ધ્યાનદીપિકા
[ ૩૭ ]
સંબધ વિનશ્વર (નાશ પામનારા) છે. દેવ અને મનુષ્યન્દ્ર (ચક્રવતી રાજા)નું એશ્વર્ય, યૌવન અને જીવિતવ્ય પણ અનિત્ય છે. ૧૪.
ભાવાર્થ: હે માનવ! તમો નિત્યાનિત્યનો વિચાર તે કરો! જે સુખની પાછળ તમે દોડે છે, અહોનિશ જેનો વિચાર કરો છે, જેને માટે નિરંતર પ્રયાસ કરે છે અને જેને ઘણી તનતોડ મહેનતે તમે મેળવો પણ છે તે સુખ કેટલા વખત માટે? બહોળું કુટુંબ હોય, વિનયવતી સુંદર સ્ત્રી હોય, આજ્ઞાંકિત પુત્ર હોય, વૈભવ ઘણે હોય, નિરંગી દેહ હાય ઇંદ્રનું કે ચક્રવતીનુ એશ્વર્ય હાય યુવાન અવસ્થા હોય અને લાંબું જીવિતવ્ય હોય આ સર્વ સામગ્રી મળી એટલે આ દુનિયાના સુખની અવધિ થઈ રહી. આ પ્રમાણે આ દુનિયાના વિભવમાં સુખમાં આનંદિત થઈ રહ્યો હોય, સુખના છેલ્લા તરંગમાં ઝુલતો હોય, પોતાના સુખને માટે ગ કરતા હોય, તેટલામાં કુટુંબ કેઈ અનિર્ધારિત આફતમાં સપડાઈ મરણ પામ્યું. સ્ત્રી અને પુત્રોએ આ દેહ મૂકી અન્ય સ્થળે નિવાસ કર્યો, વૈભવ નાશ પામ્ય, શરીર રેગથી ઘેરાયું, ઐશ્વર્ય ચાલ્યું ગયું, વૃદ્ધાવસ્થાએ આવીને ઘેરી લીધે, મરણ નજદીક આવીને ઊભું રહ્યું! આહા! આ અવસરે તે મનુષ્યની સ્થિતિ કેવી હશે? પૂર્વે અનુભવેલા સુખ કરતાં અત્યારે અનુભવાતું દુખ કેટલું અસહ્ય થઈ પડ્યું હશે? પણ શો ઉપાય!
મહાનુભાવો! આ સર્વ ક્યાં ચાલ્યું ગયું? શા માટે ચાલ્યું ગયું ? તેની પાસે કેમ ટકી ન રહ્યું હવે પાછું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org