________________
ધ્યાનદીપિકા
[ ૩૫ ]
આત્મભાવમાં મન સ્થિર થાય તેમ કરવું. તે માટે કર્મ પુગલ અને જીવના સ્વરૂપનું ચિંતન કરવું (વિચાર કરે). મુનિ જ્યારે આ ભાવનાઓ વડે આખા વિશ્વને ભાવિત કરે છે, આખા વિશ્વનો વિચાર કરે છે, આખા વિશ્વના સંબંધમાં સત્ય વસ્તુનો મનમાં દઢ નિશ્ચય કરે છે ત્યારે આ વિશ્વ ઉપર તેને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે અને તે સર્વ પદાર્થ ઉપરની ઉદાસીનતાના ગે (કેઈ પણ પદાર્થ ઉપર રાગ, દ્વેષ રહેતો નથી ત્યારે, અહીંયાં જ (આ જન્મમાં જ) મુક્ત થયેલા જની માફક વિચરે છે અર્થાત્ પછી તેને કોઈ પણ જાતને પ્રતિબંધ કે લેપાવાપણું થતું નથી. ૧૨. ૧૩.
પ્રકરણ ૩ ભાવનાની જરૂરિયાત શા માટે છે?
અનિત્યાદિ ભાવના જ્ઞાનાદિ ચાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યા પછી અનિત્યાદિ બાર ભાવનાથી મનને વાસિત કરવા માટે અનિત્યાદિ ભાવનાનું સ્વરૂપ બતાવે છે. ખેડીને સાફ કરેલા ક્ષેત્રમાં બીજ વાવવાથી તે સારી રીતે ઉગી નીકળે છે અને તે માટે કરેલ પ્રયાસ (યત્ન) સફળ થાય છે અથવા ઘટાદિ કઈ વાસણ કે પદાર્થ પહેલાં હલકા ગંધવાળા જેવાં કે લસણ, મદિરાદિથી વાસિત (દુગર્ભધવાળા) કરેલ હોય તેમને પાછાં સુગં. ધિત કરવા માટે ખટાશવાળા કેઈ પણ પદાર્થથી વાસિત કરીને તેમની પૂર્વની દુર્ગધી કાઢી નાખવામાં આવે છે અને ત્યાર બાદ તેમાં કેઈ ઉત્તમ સુગંધવાળી અથવા અન્ય સારી ચીજ ભરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org