________________
ધ્યાનદીપિકા
[ ૩૧ ]
તેથી જ આત્મસ્વરૂપ પ્રગટ અનુભવાય છે. તેનું ચિંતન કરવાથી પણ વૈરાગ્યવૃત્તિ દઢ થાય છે.
જડ અને ચૈતન્ય એટલે પુદ્ગલ અને આત્મા આ બે તવે છે. પ્રકાશ અને અંધારામાં જેટલો તફાવત છે તેટલો તફાવત આત્મા અને પુદગલમાં છે. આ બંને તના સંબંધમાં સૂક્ષમ દૃષ્ટિથી વિચાર કરતાં અને તેનાં પરિણામે તરફ નજર નાખતાં લાભાલાભનો ખ્યાલ લાવતાં જડ પુદુગલ તરફની આસક્તિ ઓછી થાય છે અને આત્મા તરફની લાગણી વધે છે તેમ થતાં પુગલ તરફ રખાતી આસક્તિમાં વૈરાગ્યવૃત્તિ મજબૂત થાય છે કે જે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન તરીકે પોતાનો પાઠ ભજવે છે.
જગતના સ્વભાવને વિચાર કરવાથી પણ વૈરાગ્યવૃત્તિને પષણ મળે છે. જડ અને ચૈતન્યથી ભરપૂર આ જગતમાં વારંવાર દરેક ક્ષણે પદાર્થો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. આ જગતના દરેક પદાર્થોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય થયા કરે છે. તે મુજબ જડ અને ચેતન પદાર્થો તે નિયમને આધિન છે અને તેને લઈને જ કેઈ આકૃતિમાં સહજ ફેરફાર થાય છે, તો કઈમાં વિશેષ ફેરફાર થાય છે કઈ ધીમે ધીમે પિતાની આકૃતિમાં ફેરબદલી કરે છે તે કોઈ ઘણી ઝડપથી પિતાની આકૃતિને વિખેરી નાખી રૂપાંતર ધારણ કરે છે.
વિચાર-દષ્ટિથી જોતાં કેઈ પણ પદાર્થ કાયમ એક પર્યાયે કે એક આકારે ટકી રહેતું નથી. મનુષ્યોનો સંબંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org