________________
[ ૨૮ ]
ધ્યાનદીપિકા
હવેથી તેવું ફળ પ્રાપ્ત થાય તેવી ક્રિયાઓ કરતે અટક જા; પરંતુ જે બીજ વાવ્યાં છે તે તે તારે પિતાને જ ખાવાં પડશે. ઈચ્છા હશે કે નહિ હોય રાજી થઈશ કે નારાજ પણ તે ભગવ્યા સિવાય તારે છુટકે જ નથી; તે રાજી થઈને જે આવ્યું તેને પિતાનું ગણી આનંદથી ભાગવી લેવું ચગ્ય છે; તેમ કરતાં તે દુઃખની વ્યથા કમી થશે. અને નવીન બંધાતું અટકશે; વળી આ જ તારે ખરે પુરુષાર્થ છે કે “પૂર્વનું ભેગવતાં નવીન ન બાંધવું.”
દુઃખને પણ સુખરૂપે માની વધાવી લેવું અને નવીન ઈચ્છાઓને અટકાવવી.
આ સર્વે ચારિત્રભાવનાથી મનને દઢ સંસ્કારિત કરવાથી બનવું શક્ય છે. ઉદય આવતાં સુખદુઃખમાં હર્ષશોક ન થવા દેવો તે આ ભાવનાથી પ્રબલ (દઢ) મજબૂત થયેલા મન ઉપર આધાર રહેલો છે, માટે વારંવાર ચારિત્ર ભાવનાનો વિચાર કરી મનને મજબૂત કરવું તે જ આ ભાવનાની સફળતા છે. ૪.
વૈરાગ્યભાવના विषयेष्वनभिष्वंगः कार्य तत्त्वानुचिंतनम् ।
जगत्स्वभावचिंतेति वैराग्यस्थैर्यभावना ॥११॥ વિષયને વિષે આસક્તિ ન રાખવી, તનું ચિંતન કરવું, જગતના સ્વભાવને વિચાર કરે, આ ભાવના વિરાગ્યને સ્થિર કરનારી છે. ૧૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org