________________
ધ્યાનદીપિકા
[ ૧૭ ]
શરીરને એકાંત સ્થાનમાં આસન કરી ધ્યાનસ્થ બેસી શકાય તેવા કામમાં સ્થિર રાખવું. જરૂરી પ્રસંગે બીજા પણ શરીરથી થતા શુભ કાર્યમાં જોડી દેવું. આહાર, વિહાર, નિહારાદિ કાર્ય પણ આત્મઉપગની જાગૃતિપૂર્વક કરવામાં આવે છે તે તે પણ કાંઈ બંધના કારણરૂપ ન થતાં કર્મ નિર્જરાના કારણભૂત મન, વચન, શરીરના યોગો પણ આવી રીતે શુભ કે શુદ્ધ માર્ગમાં જોડી દેવાથી કર્મ નાશ કરવામાં સહાયરૂપ થાય છે. ૮.
ટાઢ, તાપ, સુધા, તૃષા ઈત્યાદિ પૂર્વ કર્મના સંગે પરિષહ આવી પડે તો સમભાવે સહન કરવા. કેઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ આક્રશ કરે, કેઈ ગુણ ગાય, કોઈ પૂજન કરે ઈત્યાદિ પ્રસંગે આ વ્યવહાર માર્ગમાં પ્રારબ્ધ સંગે વારંવાર આવવા સંભવ છે. આવે વખતે મનને વારંવાર સાવચેતી આપવી કે હે મન! કર્યા સિવાય કોઈ આવતું નથી.
જે પ્રસંગ આવી પડે છે તે આપણા કરેલ કમનો બદલે છે. જેટલો આવ્યા છે તેટલો ઓછો થાય છે. ફરીને તે આવતું નથી તેમ કર્યા વગર પણ આવતું નથી તારા પિતાના જ કરેલ કર્મનું ફળ જે સુખ હોય તે વહાલું લાગે છે તે આ પણ તારું પોતાનું જ કર્મથી મેળવેલ ફળ હોવાથી તેની ના શા માટે પાડે છે? અને તે ભોગવવા શા માટે આનાકાની કરી દુઃખનું પ્રબળ વધારે છે? સુખ લેવું અને દુઃખની ના પાડવી તે શું ન્યાય કહેવાય? તારે દુઃખ ન લેવું હોય તને દુઃખ ગમતું ન હોય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org