________________
[ ૨૬ ]
ધ્યાનદીપિકા
આંત્મબળથી અટકાવવી આ માર્ગ છે. ચારિત્રભાવનાના બળથી તે રસ્તો સહેલાઈથી મળી શકે છે.
ચાલવા (જવા આવવા) સંબધી યતના રાખવી કે કરવી એટલે રસ્તે જતાં આવતાં નીચી દષ્ટિ કરી કેઈ નાનામોટા અને ઉપદ્રવ ન થાય તેવી રીતે ચાલવું. ૧. - બલવાનું બને ત્યાં સુધી સામાને પ્રિય લાગે તેવું. તે અન્યને હિતકારી હોવા સાથે સત્ય હોવું જોઈએ. પૂર્વાપર વિચાર કરી જરૂરિયાત જેટલું પ્રસંગે બેલવું. ૨.
આહાર, ભેજનાદિ, નિર્દોષ સાત્વિક અને સ્વ૫ જમવું. ૩.
કાંઈ પણ લેવું-મૂકવું હોય તે તે દૃષ્ટિથી તપાસી દષ્ટિનો વિષય જ્યાં ન પહોંચે તે હોય ત્યાં વસ્ત્રાદિથી પૂંછ પ્રમાજીને લેવું મૂકવું. ૪ - ત્યાગ કરવા લાયક વસ્તુ યોગ્ય નિજતુ ભૂમિ તપાસી કઈ જીવને ઉપદ્રવ ન થાય તેવી રીતે ત્યાગ કરવી. ૫.
બને ત્યાં સુધી મનમાં વિકલ્પ ઉત્પન્ન થતા અટકાવી મનને શુદ્ધ આત્માકાર પરિણુમાવવું. તેમ બનવું અશક્ય જણાય તે પરમાત્મસ્મરણ વસ્તુ તત્વના વિચારમાં, કે તેવા જ કોઈ સાકાર ધ્યાનમાં મનને જોડી દેવું, ઈષ્ટદેવ ગુરુની જીવિત કે કલ્પિત મૂર્તિમાં અગર તેમના કેઈ પ્રબળ જ્ઞાનાદિ ગુણમાં મનને લીન કરવું. ૬.
બની શકે તો બેલિવું બંધ કરી દેવું અથવા જરૂરિયાત જણાય તો ધર્મોપદેશમાં કેઈને ભલામાં અને વાંચન આદિ શુભ કામમાં જોડી દેવું. ૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org