________________
ધ્યાનદીપિકા
[ ૨૫ ]
ચારિત્ર ભાવના इर्यादिविषया यत्ना मनोवाक्कायगुप्तयः ।
fપરિમિતિ વાત્રમાંના | ૨૦ || ચાલવા આદિના સંબંધમાં સંયમ નિગ્રહ કર, મન, વચન, કાયાની ગુપ્તિ કરવી અને પરીષહ સહન કરવા તે ચારિત્રભાવના છે. ૧૦.
ભાવાર્થ :–સારામાં સારી રીતે નિર્દોષ જીવન પસાર કરવું તેને ચારિત્ર કહે છે. તે સંબંધી મન ઉપર દઢ સંસ્કાર બેસાડવા તે ચારિત્રભાવના છે. ચારિત્રભાવનાથી નવીન કર્મ આવતાં અટકાવવાનું અને પૂર્વ સંસ્કારોને કાઢી નાખવાનું બળ મનુષ્યમાં આવે છે આ સંસારની અંદર રહીને કર્મ ન આવવાના રસ્તાઓ જ્યાં અટકાવી શકવાનું વ્યવહારના જરૂરી પ્રસંગને લઈને બનતું નથી ત્યાં તેને જરૂરિયાત અને લાયકાત મુજબ મર્યાદામાં મૂકવાનું, અર્થાત્ સંક્ષિપ્તમાં બને ત્યાં સુધી બહુ જ થોડી પ્રવૃત્તિ કરવાનું કામ વિચારવાનેએ કરવું જોઈએ અને જ્યાં અશુભને આવવાને માર્ગ હોય ત્યાંથી અશુભને અટકાવી શુભને આવવાને રસ્તે ખુલ્લો કરે જઈએ.
એકદમ સર્વે ક્રિયાઓ અટકાવી શકાતી નથી અને તેમ એકદમ અટકાવવા જતાં તેનું પરિણામ વિપરીત આવે છે, માટે શરૂઆતમાં શુભ ક્રિયાઓનો વધારો કરી અશુભ ક્રિયાએમા પ્રવૃત્તિ તદ્દન અટકાવવી અને છેવટે તે શુભને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org