________________
[ ૨૪ ]
ધ્યાનદીપિકા
વિગેરે પુગલિક સુખમાં સુખ માનનારા છો, તે ભાવથી દુઃખી છે, મતલબ કે વર્તમાનમાં સુખી છે પણ તે ભવિષ્યમાં દુઃખી થનારા છે. તેઓને ધર્મોપદેશ આપી, ચોગ્ય ધર્મને રસ્તે ચડાવવા તે, તે જીવોની ભાવદયા (અનુકંપા) છે.
જ્યાં સુધી હૃદયમાં આ લેકના અને પરલોકના સુખની ઇચ્છાઓની જવાળાઓ બળતી હોય જ્યાં સુધી હૃદય નિષ્ફ રતા કે નિર્દયતા વાપરીને પણ સ્વાર્થ સાધવા ભણી દેડદોડ કરતું હોય ત્યાં સુધી તે હદયમાં ભવદાવાનળની શાંતિ કરનાર સમ્યક્ત્વ ભાવના કયાંથી હોય? ક્યાંથી પ્રગટે ? મનુષ્યોએ પિતાનું હદય અનુકંપાથી એટલું બધું આદ્ર, કેમળ બનાવવું જોઈએ કે દુઃખી જીને દેખી આંખમાંથી અશ્રુધારા છૂટવી જોઈએ અને તેના બચાવ માટે કે સહાય આપવા માટે જરા પણ વિલંબ ન કરતાં ન્યાયાર્જિત પોતાની મિલકતનો છુટથી ઉપયોગ કરવો જોઈએ કે જે પ્રામર પ્રાણી પિતાની મહેનતથી મળી શકે તેવી અને અવશ્ય નાશ પામનારી તુચ્છ વસ્તુનો પણ બીજાના ભલા માટે છુટથી ઉપયોગ કરી શકતો નથી તે પિતે આત્મજ્ઞાન અને મોક્ષ જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ માટે બીજાની કૃપાને પાત્ર કેવી રીતે થઈ શકશે? અથવા નિર્દયતાથી દગ્ધ થયેલા હૃદયમાં સમ્યક્ત્વને અંકુર કેવી રીતે ઊગી નીકળશે? અર્થાત્ હૃદયને અનુકંપાથી વાસિત (ભાવિત) કરવાથી તેમાં સમ્યકત્વ પ્રગટ થાય છે. આ પ્રમાણે વિવિધ પ્રકારના વિચારો અને વર્તનથી મનને સારી રીતે વાસિત કરવું તેને સમ્યક્ત્વ અથવા દર્શનભાવના કહેવામાં આવે છે, ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org