________________
ધ્યાન દીપિકા
[ ૨૩ ]
કહેવા પ્રમાણે પ્રયત્ન કરે જોઈએ. મતલબ કે શરૂઆત શ્રદ્ધાથી થાય છે. અને જેમ જેમ યોગ્યતા વધતી જાય છે તેમ તેમ અનુભવ વધતો જાય છે. માટે શરૂઆતમાં કઈ પ્રામાણિક મહાપુરુષ આત્મજ્ઞાનને અનુભવ કરનાર હોય તેના પર શ્રદ્ધા રાખી તેને કહ્યા મુજબ વર્તન કરવું તેણે જે કહ્યું છે તે સત્ય છે, યેાગ્ય જ છે મારા હિત માટે જ છે મને તેનાથી અવશ્ય ફાયદે થશે જ આવી શ્રદ્ધા રાખી આત્મવિશુદ્ધિ માટે પ્રયત્ન કરે; વાતોથી વડાં થતાં નથી. પ્રયત્નની ખાસ જરૂરિયાત છે ગ્ય પ્રયત્ન અવશ્ય ફળ આપે છે. આ શ્રદ્ધા ગુણ શુદ્ધ સમ્યક્ત્વને પ્રગટ કરે છે અને શ્રદ્ધા પોતે જ જ્ઞાનદશી છે. ૫.
હૃદય કમળતાવાળું, દયાથી આ થવું જ જોઈએ. દુખી જીવોને દેખી તેમની મદદે દેડી જવાની વૃત્તિ રેમરેમમાં થવી જોઈએ. પોતાની શક્તિ અનુસાર તન, મન, ધન અને વચનથી પણ મદદ કરી તેમનાં દુઃખ દૂર કરવાં જોઈએ. પોતે કદાચ ન કરી શકે તે બીજા પાસે પણ મદદ કરાવવી. દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે દુઃખી હોય છે. દ્રવ્યથી દુઃખી, નિર્ધન, રેગી, માનસિક પીડાવાળા, આપત્તિમાં ઘેરાયેલા વિગેરે કહેવાય છે. ધર્મ વિનાના છે, કેવળ પાંચ ઇંદ્રિના વિષયસુખમાં લુબ્ધ થયેલા, સારાસારનો વિચાર ન કરતાં નાના પ્રકારના આરંભ સમારંભમાં, એશઆરામમાં પ્રવૃત્તિ કરનારા, એહિક સુખમાં મગ્ન થયેલા, આત્મા કે પરલોકને નહિ માનનારા, પશુઓની માફક આહાર, ભય, નિદ્રા અને મૈથુનમાં જ જિંદગી ગુજારનારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org