________________
[ ૨૨ ]
ધ્યાનદીપિકા
ગર્વ કેને કરે? શું પુગલોને ગર્વ, કે જે પુદ્ગલે પદ્રવ્ય છે. પુણ્યપા૫વાળા સ્વભાવને આધીન છે સંગ વિગ ધર્મવાળા છે, હર્ષશેકને કરાવવાવાળા છે અને સંસારના પરિભ્રમણને વધારનાર છે, તે જડ પુદગલેને ગર્વ કરનાર આત્માથી પરામુખ થયેલ હોવાથી અને જડમાં આસક્તિવાળે હેવાથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થતાં જડ પદાર્થોની જ પ્રાપ્તિ થશે, કારણ કે જે જીવની જેમાં આસક્તિ હોય છે, જેના પર પ્રેમ કે લાગણી હોય છે તે પદાર્થ તેના તરફ આકર્ષાય છે, તે તેને માટે જ પ્રવૃત્તિ કરે છે, તેની તેને પ્રાપ્તિ થાય છે. એટલે જડ પદાર્થની પ્રાપ્તિથી ગર્વ અભિમાન નહિ કરનારને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
બારીક વિચાર કરતાં માલુમ પડશે કે જડ પદાર્થમાં થતી આસક્તિથી જ મનુષ્યોને ગર્વ થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિથી તે મનુષ્ય શાંતિમય જિંદગી ભોગવે છે અને પરમશાંતિમાં જ વિશ્રાંતિ લે છે.
શરૂઆત એવી રીતે થાય છે કે કઈ પણ પ્રામાણિક અને આત્મજ્ઞાનના અનુભવી મનુષ્યમાં (પુરુષમાં) પ્રથમ શ્રદ્ધા રાખવાની જરૂરિયાત છે તેના વચન પર શ્રદ્ધા રાખી અમુક વખત સુધી અમુક જાતની યોગ્યતા પિતામાં પ્રગટ થાય ત્યાં સુધી તેના કહ્યા પ્રમાણે આત્મવિશુદ્ધિ માટે ચાલવું જ પડે છે. આત્મસ્વરૂપ એવી વસ્તુ નથી કે પ્રત્યક્ષ રીતે દેખાડી શકાય પણ તે અનુભવગમ્ય છે.
પ્રયત્ન કરનારને પિતાને જ તેને અનુભવ થાય છે. બીજાને અનુભવ કરે છે તે તેણે પણ તે અનુભવ કરનારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org