________________
( ૨૦ )
ધ્યાનદીપિકા
દુઃખ, હર્ષ, શોક, માન, અપમાન વગેરે કેને થાય છે! તેને ઉપભોગ લેનાર બીજે કેણ છે? કઈ જ નથી માટે આત્મા જ કમનો ભક્તા છે. ૪
કર્મક્ષયથી મોક્ષ થાય છે. શુભાશુભ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. કર્મ વધે છે અને ઘટે પણ છે તેમાં વધુ ઘટ થતી રહે છે. કોઈ ક્રિયાથી થોડી ઓછાશ થાય છે, તે એક ક્રિયા એવી પણ હોવી જોઈએ કે તેને સર્વથા નાશ કરે છે અને તેના ક્ષયથી મોક્ષ થાય છે. ૫.
મેક્ષને ઉપાય કર્મદશા એ અજ્ઞાન ભાવથી થાય છે અને જ્ઞાનભાવમાં આવવું તે મેક્ષદશા છે. જેમ પ્રકાશ આવવાથી અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાનભાવથી કર્મને નાશ થાય છે. કર્મ બંધનાં જે જે કારણો છે તે તે કારણોના પ્રતિપક્ષરૂપ કારણેનું સાધનનું–સેવન કરવાથી તેને બંધને નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
રાગ, દ્વેષ અને અજ્ઞાન આ મુખ્ય રીતે કર્મબંધનાં કારણે છે. આત્મજ્ઞાનથી-આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષથી આ સર્વને નાશ સાધી શકાય છે. જેમ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરી શકાય છે, તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષથી મોહ અને અજ્ઞાનાદિને નાશ થઈ શકે છે અને તેથી કર્મબંધથી મુક્ત થવાય છે અને તેને પરિણામે મોક્ષ થાય છે. માટે તે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org