SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ પ ] પિતાના ઉદયને માટે મહાન પ્રયત્ન કરનાર ધ્યાનના આથી એ જૈન આગમના અર્થનું અવલંબન કરીને મોહરૂપ અંધકારનો નાશ કરનારી અને સમભાવની વિશુદ્ધિને આપનારી આ ધ્યાનદીપિકાને નિરંતર પોતાના અંતઃકરણરૂપ ઘરને વિષે ધારણ કરવી. ૩. ભાવાર્થ:–ઈચ્છા ખરેખર આત્માનો ઉદય કરવાની જ હોય તો આ ધ્યાનદીપિકાને તમારા હૃદયમંદિરમાં નિરંતર પધરાવી રાખો. દરેક ક્ષણે તમને યાદ આવે, જાગૃતિ આવે તે માટે બીજે કયાંય નહીં પણ હૃદયરૂપ ઘરમાં જ રાખજે, આત્મ સમુખ જ રાખજે. આ ધ્યાનદીપિકામાં જૈન આગમના અર્થનું જ અવલંબન કરેલું છે; અર્થાતુ-જિનેશ્વર ભગવાને અનુભવ કરેલ સિદ્ધાંત-નિશ્ચયનું જ વર્ણન તેમાં છે અને તે માટે જ તે મોહરૂપ અંધકારને નાશ કરનારી છે; તથા સમભાવ કે જેમાં રાગ પણ નથી અને દ્રષ પણ નથી, તેવી રાગદ્વેષ વિનાની, સમ-વિષમ વિનાની પરમ વિશુદ્ધિવાળી સ્થિતિને આપવાવાળી છે. મતલબ કે વીતરાગ દેવને જે સ્વાનુભવસિદ્ધ માગે છે તે માર્ગે ચાલતાં અવશ્ય તમે તે સ્થિતિને અનુભવી શકશે. તે માર્ગ આમાં (દીપિકામાં) બતાવવામાં આવશે, એટલા માટે જ આ ગ્રંથને હૃદયમાં સ્થાન આપજે. શેભાને માટે જેમ ઘરમાં અભરાઈ ઉપર વાસણો ગોઠવવામાં આવે છે તેમ આ ગ્રંથને પુસ્તકાલયની અભરાઈ ઉપર જ ગોઠવી ન મૂકશે, ૩, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy