________________
[ 8 ]
ધ્યાનદીપિકા
આત્મધ્યાનને માટે ધ્યાનમાર્ગમાં ચાલનાર દીપિકાને કહીશ.
અહીં સાધુને નમસ્કાર તથા તેમનું સ્મરણ કરવાથી આચાર્ય તથા ઉપાધ્યાયજીનું સ્મરણ પણ સાથે જ થયું, કારણ કે સાધુ શબ્દમાં તે બનેને સમાવેશ થાય છે, “ધ્યાનને માટે એ શબ્દથી ધ્યાન કરવાની ઈચ્છા કરવાવાળા જીવને સુગમતા થાય એટલા હેતુથી; ધ્યાનમાગમાં સાથે ચાલવાવાળી અથવા ધ્યાનનો માર્ગ બતાવનારી દીપિકા કહીશ એમ ગ્રંથકારે જણાવ્યું.
માર્ગ વિકટ હોય, તેમાં વળી રાત્રી અંધારી હોય અને રસ્તે અજા હેય, આ વખતે અવશ્ય કરીને ભેમિયાની જરૂર હોય છે. ભેમિયા વિના તેવા અજાણ્યા વિકટ રસ્તામાં હેરાન થવાને, દુઃખી થવાનો, ભૂલા પડવા, લૂંટાવાને અને માર ખાવાને સંભવ રહે છે. એવી જ રીતે આ મારી દીપિકા (ગ્રંથ) ધ્યાનના માર્ગમાં ચાલનાર મુસાફરોને-મુમુક્ષુ ઓને-સાથે આવી ભેમિયાનું કામ કરશે.
અજ્ઞાન અંધારામાં પ્રકાશ કરશે, ભૂલા પડેલાને માર્ગે ચડાવશે, કામધાદિ ચેરેથી બચવાની યુક્તિ જણાવશે એટલું જ નહીં, પણ નવીન મહાદિને પરાજય કરવાને રસ્તો દેખાડશે. આ ધ્યાનદીપિકા કહેવાનો મારો આ જ ઉદેશ છે.
ધ્યાનના અથી છને ગ્રંથ કરનારની સૂચના. जैनागमार्थानवलंब्य मोह ध्वांतोतकृत्री शमशुद्धिदात्री । ध्यानार्थिभिः स्वांतगृहे विधेवा नित्यं निजोद्योतकृते कृतीशैः॥३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org