________________
ધાનદીપિકા
[૩]
ગ્રંથકારની સર્વ દેશકાળમાં થયેલા સર્વ પ્રત્યે સમદષ્ટિ છે એમ સૂચવે છે.
વળી સવારે મતે જુદા દેતા નથી. કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ઉપદેશ જુદો જુદો હોય છે, તથાપિ પ્રાપ્ત કરવા લાયક આત્મસ્થિતિ તેનું નિશાન તે-લક્ષ્યબિંદુ તે સર્વનું એક જ હોય છે. એ દષ્ટિ ધ્યાનમાં રાખી કઈ પણ વ્યક્તિનું નામ ન આપતાં શાસ્ત્રકાર સામાન્ય રીતે જગતમાન્ય સર્વજ્ઞમંડળને ગ્રંથની આદિમાં નમસ્કાર બતાવે છે. વિશેષ મંગલાચરણ કરવા સાથે ગ્રંથને વિષય બતાવે છે.
ब्रह्मज्ञानानंदे लीनाईसिद्धसाधुसंदोहम् ।
स्मृत्वाभ्यानकृतेऽहं ध्यानाध्वगदीपिका वक्ष्ये ॥२॥ આત્મજ્ઞાનના આનંદમાં લીન થયેલા અરિહંત, સિદ્ધ અને સાધુઓના સમુદાયનું સ્મરણ કરીને હું દયાનને ધ્યાનમાર્ગમાં ચાલનાર અર્થાત્ ધ્યાનને માર્ગ બતાવનાર દીપિકાને કહીશ. ૨
ભાવાર્થ-જ્ઞાન અને આનંદ એ આત્માના ગુણો છે અથવા જ્ઞાન અને આનંદ તે આત્માનું જ સ્વરૂપ છે. બ્રહ્મ શબ્દથી શુદ્ધ નિરાવરણ પરિપૂર્ણ એવું આત્મસ્વરૂપ સમજવું.
નિરાવરણ આત્મસ્વરૂપ લેતાં, જ્ઞાન અને આનંદ પણ પરિપૂર્ણ શુદ્ધ જ સમજવાં-તેવા જ્ઞાનાનંદમાં લીન થયેલા અરિ. હતદેવ, સિદ્ધપરમાત્મા અને સાધુઓને સમૂહ તેઓનું સ્મરણ કરી, એકાગ્રચિત્તે તેઓના શુદ્ધ સ્વરૂપને મનમાં યાદ લાવી, હું-સાકળચંદ્રજી ઉપાધ્યાય નામ ધારણ કરનાર દેવાધિષિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org