SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૬ ] ધ્યાનદીપિકા પામવી-આ રૂપસ્થ ધ્યાન છે. પરમાત્માના સ્વરૂપ સાથે. એકાગ્રતા મેળવવી એ ખરી રીતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરે કે આત્મસ્વરૂપે પ્રગટ કરવું અથવા સર્વ કર્મને નાશ સાધવે તે કરવા બરાબર છે. આલંબનો તે સાધનરૂપ છે. તે આલંબને પકડીને બેસી રહેવું તે કર્તવ્ય નથી પણ આલંબનની મદદથી કાર્ય કરવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેટલે અંશે પ્રગટ થાય તે રૂપ કાર્ય કરવાનું છે. આ વાત દયાન કરનારના લક્ષ બહાર જરા પણ જવી ન જોઈએ. ધ્યાનનું ફળ ध्यानी चाभ्यासयोगेन तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मानमवलोकयति स्फुटम् ॥१६५।। આ આલંબનની મદદ વડે ધ્યાનનો અભ્યાસ કરનાર તન્મયપણાને પામીને પોતાના આત્માને સર્વજ્ઞપણાને પામેલ પ્રગટપણે જુએ છે. કેવી રીતે તન્મય થવું જોઈએ? सर्वज्ञो भगवान् योऽयमहमेवास्मि स ध्रुवम् । एवं तन्मयतां यातः सर्ववेदीति मन्यते ॥१६॥ જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હું જ નિશ્ચય છું. આવી તન્મયતાને પ્રાપ્ત થયેલ “સર્વજ્ઞ” એમ મનાય છે. ભાવાર્થ-નિરંતરના આત્મઅભ્યાસથી આત્મસ્વરૂપ થવાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અભ્યાસ અભ્યાસનું કાર્ય સિદ્ધ કરે છે, એક નાનું સરખું બીજ જમીનમાં વાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy