________________
ધ્યાનદીપિકા
[ ૩૪૩ ]
cut a vમcur | આત્મા જ પરમાતમાં છે. આ જીવ જ પરમાત્મા થઈ શકે છે. “સોહ” હું તે જ સિદ્ધસ્વરૂપ પરમાત્મા છું. આ સર્વ આગમપદનું વિચારપૂર્વક મનન કરવું તેવા સ્વરૂપે પરિણમવા માટે અન્ય વિચારેને દૂર રાખી આ જ વિચારને મુખ્ય રાખ. નિરંતર તેનું જ શ્રવણ, તેનું જ મનન અને તેવા રૂપે જ પરિણમવું–આ પણ પદસ્થ ધ્યાન છે. જુઓ કે રૂપાતીત ધ્યાન તરફ આ ધ્યાન પ્રયાણ કરતું જણાય છે. તથાપિ અહીં પદની-આગમના પદની મુખ્યતા રાખી તે ધ્યાન કરાતું હોવાથી પદસ્થ ધ્યાનમાં સમાવેશ પામે છે.
રૂપસ્થ ધ્યાન सर्वातिशययुक्तस्य केवलज्ञानभास्वतः । अर्हतो रूपमालंब्य ध्यानं रूपस्थमुच्यते ॥१६२॥ रागद्वेषमहामोहविकारैरकलंकितम् । शांतकातं मनोहारि सर्वलक्षणलक्षितम् ॥१६३॥
સવ અતિશયથી યુક્ત, કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ, રાગશ્રેષરૂપ મહાન મેહના વિકારે વડે નહિ કલંકિત થયેલા, શાંત, શોભનીય, મનહરણ કરનારા ઈત્યાદિ સર્વ લક્ષણોથી ઓળખાયેલા અરિહંતના રૂપનું આલંબન કરીને ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે.
ભાવાર્થ–દેહધારી સાક્ષાત્ સ્વરૂપે વિચરતા અરિહંત ભગવાનના સ્વરૂપનું અવલંબન કરીને ધ્યાન કરવું તે રૂપસ્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org