SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૨ ] ધ્યાનદીપિકા આમાંથી કઈ પણ એક મંત્ર કે પદ લઈ તેનું લાંબા વખત . સુધી ધ્યાન કરવું જોઈએ. આ સારું હશે કે તે સારું હશે! આવા વિચારોથી ઘેડે વખત આ કર્યું તેમાં હજી પરિ પકવતા ન થઈ હોય તેટલામાં તેને પડતું મૂકી બીજું પદ કે મંત્ર લે એમ વારંવાર બદલાવવાથી એકે પાકું કે સિદ્ધ થતું નથી. માટે કોઈ એક ગમે તે પદ કે મંત્ર લે પણ તેને પાર પામે. કોઈ પણ પદ કે મંત્ર હે તથાપિ તમારું લક્ષ તે પ્રત્યે એટલા પૂરતું હોવું જોઈએ કે આ પદ કે મંત્રના જાપ કે ધ્યાનથી વિશુદ્ધિ મેળવવી છે, મનને એકાગ્ર અને નિશ્ચલ કરવું છે, તે વાત ધ્યાનમાં રાખી પછી અભ્યાસ શરૂ કરશે તે પછી કયા પદનું ધ્યાન કે જાપ કરે તે સંબંધી જરા પણ જુદા વિચારો રહેશે નહિ. આ સર્વ પદ કે મંત્રમાં જે શક્તિ છે તે શક્તિ તમારા ખંત કે પ્રયત્ન ઉપર અથવા સચોટ લાગણી ઉપર આધાર રાખે છે. તે નહિ હેય તે કઈ ગમે તેવું સારું પદ કે મંત્ર હશે છતાં પણ તમે તેનાથી ફાયદે મેળવી શકશે નહિ. આ તે આલંબને છે. શક્તિ તે તમારામાં જ છે. આલંબનમાંથી તે પ્રગટ કરવાની નથી. તે તે તમારામાંથી જ પ્રગટ થશે. આલંબન તે નિમિત્ત માત્ર છે, માટે તમારામાં તેવી મહાન શક્તિની શ્રદ્ધા રાખી, આલંબનને આધાર લઈ તેમાં એકાગ્રતા મેળવે કે પછી પાછળનો રસ્તો તમારા માટે ઘણું જ સહેલો છે. આગમના પદનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું-જાપ કરે તે પણ પોતાના સ્વરૂપની થયેલી વિસ્કૃતિની જાગૃતિ લાવવી તે માટે જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy