SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ધયાનદીપિકા [ ૩૩૩ ] તેવી સ્થિતિ કે નિર્મળતાની દશા પ્રગટ થઈ હોય તો જ મન કબૂલ કરે કે હું “સર્વજ્ઞ છું”! નહિતર મન એમ જ માનવાનું કે હું તો અમુક છું, આ તે ધ્યાન કરું છું એટલે તેટલો વખત એમ ચિતવવાનું છે, બાકી સર્વજ્ઞ હું ક્યાંથી હેઈ શકું? આ ભાવના મન કરવાનું જ. એટલે દરજજે તે ભાવના સિદ્ધ નથી થઈ એમ માનવું જ જોઈએ આ ભાવના અનુક્રમે સિદ્ધ થતી ચાલે છે. અથવા લાંબા વખતના અભ્યાસે આ જાતને સંસ્કાર પડી જાય છે. જેમ કેઈ ગૃહસ્થપણાને ત્યાગ કરી ત્યાગી થયો, તે ત્યાગીપણાને સંસ્કાર તેના મનમાં મજબૂત થતે ચાલે છે કે હું સાધુ છું, ત્યાગી છું. એ સંસ્કાર કાળે કરી એ દઢ થઈ જાય છે કે તે ત્યાગીપણને અનુભવ મેળવે છે; બહારથી પણ મન તેમ માને છે કે હું ત્યાગી છું, અંદરખાનેથી પણ ત્યાગીપણાના ગુણે નિસ્પૃહતા, મમત્વરહિતપણું, વૈરાગ્યવૃત્તિ, પૂર્ણ ત્યાગ વિગેરે અનુભવ કરતે જાય છે. આ પ્રમાણે આ અભ્યાસનું પણ પરિણામ છે. - ત્યાર પછી એક સુંદર સિંહાસન ત્યાં આવેલું છે, તેના ઉપર હું બેઠો છું. એમ ચિંતવવું. સર્વજ્ઞપણાના કે તીર્થ કર દેવના જે ચોત્રીસ અતિશય છે તે સર્વ અતિશય પિતા તરફથી અને પર તરફથી પ્રગટ થઈ રહેલા છે, મેં સર્વ કર્મોનો નાશ કરી દીધો છે, મંગલકારી મહાન મહિમાવાળો હું છું, આમ પિતાના શરીરની અંદર ચિંતવવું. છેવટે આ દેહની અંદર હું નિરાકાર, શુદ્ધ સ્વરૂપ, નિર્લેપ, વિશુદ્ધ આત્મસ્વરૂપ હું જ રહેલો છું એમ ચિંતવવું અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy