SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૩૩૧ ] ઉપર વરુણ બીજ (જં)નું ચિહ્ન છે, એમ ચિંતવવું. ત્યાર પછી આ વરુણમંડલમાંથી અમૃત વરસાદ વરસતે ચિંતવે અને તેથી આખું આકાશ પલળી જાય છે એમ ચિંતવવું. તે સાથે પ્રથમ શરીરની ભસ્મ જે આકાશમાં ઉડાડી નાંખી હતી તેથી મલિન થયેલું આકાશ આ અમૃતના પાણીથી સાફ જોઈ નાંખવું અને તેથી નિર્મળ શુદ્ધ આકાશ થઈ જાય છે, એમ ચિંતવન કરવું તે વારુણી (પાણીની) ધારણા છે. તવ સ્વરૂપ ધારણું सप्तधातुविना भूतं पूर्णेन्दुविशदद्युतिम् । सर्वज्ञकल्पमात्मानं शुद्धबुद्धिः स्मरेत्ततः ॥१५४॥ ततः सिंहासनासीनं सर्वातिशयभासुरम् । विध्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥१५५।। स्वांगगर्भे निराकारं स्वं स्मरेदिति तवभूः । साभ्यास इति पिंडस्थे योगी शिवसुखं भजेत् ॥१५६॥ ત્યાર પછી સાત ધાતુ વિનાના પૂર્ણચંદ્ર સમાન નિર્મળ કાંતિવાળા, સર્વ સરખા પિતાના આત્માને શુદ્ધ બુદ્ધિવાળા માતાએ ચિંતવ. ત્યાર પછી સિંહાસન પર બેઠેલા, સર્વ અતિશયથી દેદીપ્યમાન સર્વ કર્મનો નાશ કરનાર, માંગલિક મહિમાવાળા, નિરાકાર આત્માને પિતાના શરીરની અંદર ચિંતવ તે તત્વ સ્વરૂપ ધારણા છે. આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં સતત અભ્યાસવાળો એગી મોક્ષસુખ પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy