SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ - - - [ ૩૩૦ ] ધ્યાનદીપિકા વવું. ત્યાર બાદ માનસિક કલ્પનાને બદલાવવી એટલે જે પ્રચંડ વાયુ વાઈ રહ્યો હતો તેને તદ્દન શાંત કરી દે, એટલે જરા પણ વાયુ વાત નથી તેવી સ્થિતિ મનથી ક૯પવી આ વાયવી ધારણા છે. વાસણું ધારણ स्मरेद्वषत्सुधासारैः घनमालाकुलं नमः । ततोऽर्धेन्दुसमं कान्तं मंडलं वारुणाङ्कितम् ॥१५२॥ नभस्तलं सुधाम्भोमिः प्लावयेत्तत्पुरं ततः । તદ્રકઃ જાયસંપૂત ક્ષતિ વાળી પરૂા મેઘની માળા વડે ઘેરાયેલા અને અમૃતના પાણી વડે વર્ષના આકાશનું ચિંતન કરવું. ત્યાર પછી અર્ધચંદ્ર સમાન સુંદર અને વરુણ બીજ (વ)ના ચિહ્નવાળું વરુણમંડળ ચિતવવું. ત્યાર પછી તે વરુણપુર અમૃતના પાણી વડે આકાશ તળને પલાળી દે છે એમ ચિતવવું. અને શરીરની ઉત્પન્ન થયેલી તે રજને ધોઈ નાખે છે એમ વિચારવું તે વારણી (પાણીની) ધારણા છે. ભાવાર્થ-વાયુની ધારણા સ્થિર થયા પછી પાણીની ધારણ કરવી. તે ધારણામાં પ્રથમ આકાશ ચિંતવવું. આ આકાશ વાદળાંઓની ઘટાથી ઘેરાયેલું છે અને તેમાંથી અમૃતના પાણીને વરસાદ વરસી રહ્યો છે. એ ભાવના દઢ થયા પછી, વરુણપુર કે વરુણમંડલનું ચિંતવન કરવું. આ વરુણપુર અર્ધ ચંદ્ર સમાન સુંદર ચળકતું છે અને તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy