SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૨ ] ધ્યાનદીપિકા 66 તેમના પહેલાંના મનુષ્યા તરફથી પણ તેમને ઉપયોગી સૂચના, એના વારસા મળેલા હાય છે, એટલે તેમની સેવા કરનાર માણસને એ ઉપયાગી શીખામણેા કે સારી સલાહા તે આપી શકે છે. વિશેષ એટલા છે કે એકલા વાવૃદ્ધ માણસમાં આ સર્વ ગુણ હાતા નથી પણ સાથે તેઓ જ્ઞાનવૃદ્ધ હોવા જોઇએ. પેાતાનુ ભલુ કરવાની લાગણી છે ત્યાંથી આગળ વધવાની અને સત્ય મેળવવાની લાગણીવાળા તે હેાવા જોઇએ. તે પણ એકલી લાગણી કરીને બેસી રહેનારા ન હોવા જોઇએ, પણ સાથે જાતમહેનતથી અનુભવ લેનારા હાવા જોઇએ. • એકલા ઉંમરમાં વૃદ્ધ માણસા તા એવા પણ હાલ દેખાય છે કે છેકરાં કરતાં પણ તુચ્છ બુદ્ધિવાળા અને “ સાઠે બુદ્ધિ નાકી.”—આ કહેવતને ધારણ કરનારા હાય છે. તેમની સેાખ તથી તા કાંઈ મળતુ' નથી, પણ વાવૃદ્ધ સાથે જ્ઞાનવૃદ્ધ, વિચારવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હેાય તેવાઓની સેવા કરનાર મનુષ્ય ઘણી અગત્યની ઉપયેાગી ખાખતાની માહિતી ધરાવતા હાવાથી ધ્યાનમાં તેને સરળતા થવા સારા ફાયદો થાય છે. ૨૦. નિરાશ—ધ્યાન કરનાર કાઈ પણ પ્રકારની આ લેાક કે પરલેાક સબધી આશા-ઈચ્છા-રહિત હાવા જોઇએ. આશા એ જ અ`ધન છે. એ જ વિક્ષેપ ઉત્પન્ન કરાવનારી છે. મન સ્થિર ન થવા દેનાર આ આશા જ છે. સવ આશાએના ત્યાગ કરનારને આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય તે પરમાત્મા તેના સાક્ષી છે. મતલબ કે સર્વ પ્રકારની આશાને ત્યાગ કરનાર અવશ્ય આત્મજ્ઞાન પામે છે. કેટલાએક મનુષ્ય નાનાપ્રકારના ચમત્કાર કે સિદ્ધિઓ મેળવવાની આશાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy