SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૦ ] ધ્યાનદીપિકા - ~ ~ કે મગજની નબળાઈ માલૂમ પડ્યા વિના રહેતી નથી. માટે બ્રહ્મચર્યના રક્ષણની ધ્યાનમાં ખાસ જરૂર છે. ૧૬. પવિત્ર હૃદય–ધ્યાનમાં હૃદયની પવિત્રતા ઉપચગી છે. વિષયવાસનાની અપવિત્રતા કે કોઈનું બૂરું કરે વાની ઈચ્છા અથવા બદલો લેવાની કે વ્યવહારિક માનપાનાદિકની ઈચ્છા ઈત્યાદિ કારણથી થતી હદયની અપવિત્રતા ચિત્તને ધ્યાનમાં કરવા દેતી નથી. પણ ઊલટું દુર્યાત વધારે છે. મનની એકાગ્રતાનો પ્રવાહ કર્મક્ષય કરવાને બદલે, હૃદયની અપવિત્રતાને લીધે ઊલટો દુધ્ધન વધારી મૂકવા તરફ ફેલાય છે, જેના પરિણામે મનમાં આ રૌદ્રધ્યાન ખુરવા માંડે છે માટે હૃદય પવિત્રતાની ખાસ જરૂરિયાત છે. ૧૭ સ્ત્રી અને કામચેષ્ટાને સ્પર્શ નહિ કરનારસ્ત્રીને સ્પર્શ કરે તે કામઉત્પત્તિનું કારણ છે. ત્યાગમાર્ગમાં સ્ત્રીને સ્પર્શ ન કરવાને મજબૂત પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને તે સકારણ છે તથા ઉપયોગી પણ છે. શરૂઆતની સ્થિતિમાં તો વિશેષ ઉપગી છે. પૂર્વેના સંસ્કારોને લઈ પ્રસંગે ભાન ભુલાવવાનો ઘણો સંભવ છે. વ્યવહાર પ્રસ ગને વધારવાનું નિમિત્ત છે. કામચેષ્ટાને સ્પર્શ પણ આત્મ સ્થિતિનો પ્રતિબંધક છે. ખરી આત્મસ્થિતિ તે અકામ થવાથી જ થઈ શકે છે. કામની સ્થિતિને ભોગનાખવાથી એટલે તેને ઓળંગી જવા પછીથી જ આત્મશાંતિ મળી શકે છે. ઉત્તમ ધ્યાનની શરૂઆત કરવા ઈચ્છનાર જેમાં આ કામની સ્થિતિ મંદ થઈ જવી જ જોઈએ. કામની પ્રબળ વાસના હોય ત્યાં સુધી નંદિષેણ અને આદ્રકુમારાદિની માફક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy