SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૪ ] ધ્યાનદીપિકા = એટલે આવા વૈરાગ્યરૂપ ગ્યતાની પૂર્ણ જરૂર ધ્યાન કરવા વાળામાં લેવાની જરૂર છે. ૩. સંવૃતાત્મા–બીજાં બધાં કાર્યોમાંથી ઉઠાવીને એક જ કાર્યમાં મનને રોકી રાખવાની શક્તિ ધ્યાન કરવાવાળામાં પ્રથમ ખીલેલી હોવી જોઈએ. એક જ કાર્યમાં મનની શક્તિને પ્રવાહ વહેવરાવવાનું બળ આવ્યાથી ગમે તેવા ધ્યાનમાં તે સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. તે સિવાય અનેક વિકલ્પો મનમાં ઊઠતી વિવિધ વૃત્તિઓ, મનના પ્રવાહનું મહાન બળ જુદા જુદા ભાગમાં વહેચી લઈ ધ્યાનના પ્રવાહને નબળે પાડી નાખે છે. આ માટે પહેલેથી જ હરકોઈ કામ કરતા હોઈએ તે વખતે તે જ કામમાં પિતાના મનને બરોબર નિયમિત રીતે પરોવીને કામ કરવાની ટેવ વધારવી, જેથી તે ટેવ ધ્યાનમાં વધારે ઉપયોગી થઈ પડશે. ૪. સ્થિર આશય–ધ્યાન કરનારમાં સ્થિરતાને ગુણ હોવું જોઈએ. ઘડીકમાં આ કરવું અને ઘડીકમાં પેલું કરવું આવા અસ્થિર આશયવાળા જ કઈ પણ કામ સિદ્ધ કરી શકતા નથી. એક બીજ વાવ્યા પછી પણ અંકુર ફૂટતાં પાંચ, સાત કે તેથી વધારે દિવસની વાર લાગે છે અને તેનાં ફળ મેળવવા માટે તે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે તેમ જ ધ્યાન કરીને તેના ફળ માટેની તત્કાળ ઈચ્છા કરવી અને તરત ફળ ન મળે તે બીજા બીજા ઉપાયો યોજવા તેમ કરવાથી એક પણ અભ્યાસ સિદ્ધ ન થવા દેતાં ફળથી બેનસીબ રહેવા જેવું થાય છે. માટે ચાલુ અભ્યાસમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy