SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૬૯ ] પસંદ કરવા ચોગ્ય છે. છતાં પણ આજકાલ જ્યાં ત્યાં ઉપર ઉપરની બાહ્ય ધમાલ વધી પડી હોય તેવાં તીર્થસ્થાને તે ઊલટાં નિવૃત્તિને બદલે પ્રવૃત્તિ વધારનારાં થઈ પડે છે, માટે કાંઈક નિવૃત્તિવાળાં તીર્થસ્થાન હોય ત્યાં ધ્યાનની સિદ્ધિ ઘણી વહેલી થાય છે. અથવા કોઈ સારાં સ્થાને કે જ્યાં અનેક મુનિઓ અત્યારે પણ ધ્યાન કરી રહેલા હોય તેમના ઉત્તમ વિચારના વાતાવરણથી તે સ્થાન અને આજુબાજુને પ્રદેશ શાંતિમય થઈ રહેલો હોય હિંસક કે દુરાચારી પશુઓ કે મનુષ્ય જ્યાં થોડા હોય કે સર્વથા ન જ હોય તેવા શાંત અને મનુષ્યના અભાવવાળા નિર્જનપ્રદેશ વિચારવાળા પરમ વૈરાગ્યવાન ને ધ્યાન કરવા માટે વધારે અનુકૂળ થઈ પડે છે. અથવા જે સ્થાને બેસવાથી મનને પ્રીતિ ઉત્પન્ન થાય, વૃક્ષોની ઘટાઓથી જે સ્થાન આનંદ આપતું હોય, આજુબાજુને પ્રદેશ નાની નાની ટેકરીઓવાળો હોય તેના ઉપર વિવિધ પ્રકારની હરી વનસ્પતિ ઊગી નીકળી હોય, પાણીના ઝરણે ખળખળાટ કરતા વહન થઈ રહ્યાં હોય, પક્ષીઓ કલરવ કરી રહ્યાં હોય, સુંદર અને સ્વચ્છ શિલાપટે આવી રહેલા હેય, દેખીતી રીતે સ્થાન સર્વથી ઊંચું હોય, ડાંસ, મચ્છરાદિનો ઉપદ્રવ ન હોય અને જ્યાં કુદરતી દેખાવે જ મનને આહૂલાદ ઉત્પન્ન કરનારા હોય તેવા શાંત, પવિત્ર, નિર્જન અને રળિયામણું પ્રદેશોમાં ધ્યાન કરવાથી મન ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy