SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ધાનદીપિકા [ ૨૫૭ ] ખેદ શા સારુ કરે? આ ઉપેક્ષા કહેવાય છે. આ ઉપેક્ષાને પ્રસંગ બે કારણે આવે છે, એક તે કઈ માણસ ખરાબ વર્તન કરતા હોય દેવની, ગુરુની, આગમની કે આચારવિચારની કે તેવા કોઈ પણ કારણસર અન્યની નિંદા કરે હોય, પોતાની પ્રશંસા-મોટાઈ ગાતે હોય ત્યારે લાગતાવળગતા કે કઈ દયાળુ લાગણીવાળાઓ તેને સમજાવે છે બોધ આપે છે શિખામણ આપે છે કે આ પ્રમાણે બોલાય નહિ, આ પ્રમાણે વર્તન કરાય નહિ, આથી તને નુકસાન થશે, કર્મબંધન થશે, લેકે માર મારશે, આથી દુર્ગતિમાં જવાય, વિગેરે શિખામણો આપ્યા છતાં પણ તે શિક્ષા માન્ય કરે નહિં, તેઓનું અપમાન કરે અને તે વર્તન સુધારે નહિ ત્યારે તેને શિક્ષાને ગ્ય સમજી, હજી તેના શુભ ઉદયને વાર છે એમ ધારી અથવા કર્મની ગહન ગતિ છે, આપણે શું કરીએ, ઈત્યાદિ વિચારો કરી તેની ઉપેક્ષા કરવામાં આવે. એટલે તેનાં કર્મ તેને ભેગવવાં પડશે, અત્યારે આપણું કહ્યું નહિ માને પણ તેના આ કર્તવ્યને બદલે જ્યારે મળશે, એક વખત જ્યારે તે સારી રીતે હેરાન થશે ત્યારે તેની મેળે જ ઠેકાણે આવશે. ઋતુ વિના ઝાડ ફળતાં નથી તેમ તેનો વિપાક-ઉદય હજી થયે નથી, થશે ત્યારે ઠેકાણે આવશે, તેનું કર્તવ્ય તેને સમજાઈ જશે, એમ વિચાર કરી, મિત્રી, કરુણા કે પ્રમોદ ત્રણમાંથી એકને લાયક તે ન જણાય ત્યારે આ ચોથી ભાવનાને પ્રયોગ કરવામાં આવે છે. તેમાં પણ બનેને ફાયદો છે. કારણ તેને સુધરવાને ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy