________________
[ ૨૪૦ ]
ધ્યાનદીપિકા
અરિહંતાદિની મૂર્તિ-છબી ઉપર ધારણ કરવી. સિદ્ધચક્રજીનાં ગટ્ટા ઉપર બાહ્ય ત્રાટક સિદ્ધ કરવું. અગર અરિહંત ભગવાનની મૂર્તિના શરીર ઉપર-કપાળ ઉપર, નેત્ર ઉપર, કે મુખ ઉપર ઈત્યાદિ કઈ પણ સ્થાનમાં બીજા કેઈ પણ વિચારે ન કરતાં-વિચારો આવવા ન દેતાં બરોબર દષ્ટિ સ્થિર કરવી. બાહ્ય દષ્ટિ સ્થિર કરવાની સાથે મનને તે ધ્યેયમાં જ ચૂંટાડી રાખવું. જે મન બહાર ફરતું હોય, વિચાર કરતું હોય તે બાહ્ય દષ્ટિ જોડી રાખેલી નકામી છે. તેનાથી ધારણાને ફાયદો મેળવી શકાતું નથી. ત્યાં મન લયલીન થઈ જવું જોઈએ. મન એકરસ થઈ જાય તેથી ધારણા સિદ્ધ થાય છે. * બાણ, બંદૂક કે તીર વડે કઈ પણ વસ્તુને પહેલે જ તડાકે આબાદ વીંધી નાખવામાં ફતેહ પામવા માટે, તે અભ્યાસીઓ જેમ કોઈ સ્થૂળ મોટું અને નજીકનું લક્ષ વીંધવાને પ્રથમ અભ્યાસ પાડે છે, ત્યાર પછી તેનાથી નાનું અને વધારે છેટું લક્ષ વિધવાને અભ્યાસ કરે છે. તેમાં ફતેહ પામતાં વળી તેનાથી નાનું અને છેટું લક્ષ વિધવા અભ્યાસ કરે છે. આ અભ્યાસના પરિણામે છેવટે ગમે તેવું નાનું, ચપળ કે દર લક્ષ હોય તે પણ વધી શકે છે. આ જ પ્રમાણે આ ધારણું પણ તેવું જ લક્ષ છે અને તે જ ક્રમે સિદ્ધ કરવી જોઈએ.
ઊગતા અને આથમતા સૂર્ય ઉપર કે ચંદ્ર ઉપર દષ્ટિ સાથે મન સ્થિર કરવાને અભ્યાસ સાધકે કરે છે. ભગ વતીસૂત્રમાં તામલિ તાપસના અધિકારમાં પણ આવી જ કંઈક વાત આવે છે. સૂર્યને સામી દષ્ટિ રાખીને આતાપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org