SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ માનદીપિકા [ ૨૩૯ ) ફરતાં ફરી કાંઈ નુકશાન કરતાં હોય ત્યારે તેમને એક મજબૂત ખીલા સાથે બાંધવામાં આવે છે, તેથી તેમની ચપળતા સર્વથા બંધ થતી નથી, પણ ખીલાની આજુબાજુ તેઓ ફર્યા કરે છેઆવી જ રીતે આ ચપળ મનને એક ધ્યેયરૂપ ખીલા સાથે બાંધવામાં આવે છે, તેથી તે પવિત્ર યેયરૂપ ખીલાને મૂકીને બીજે ખસી શકતું નથી. આથી મન સર્વથા સ્થિર થતું નથી, છતાં એનેક સ્થળે ફરવારૂપ ચપળતા મૂકી દઈ આ ઉત્તમ દયેયના ખીલા સાથે બંધાઈ તેની જ આજુબાજુ ફર્યા કરે છે. તેના મજબૂત અભ્યાસથી મન ત્યાં જ સ્થિર થઈ જાય છે. મન જ્યારે અન્ય સ્થાનને કે અન્ય આલંબનનો આશ્રય કરે છે ત્યારે તે ધારણા તૂટી જાય છે. - આ ધારણા સ્થિર કરવા માટે એક જ દયેયમાં મન લાગી રહે તે માટે કેટલાક અભ્યાસીઓ શરૂઆતમાં બહાર વાટક કરે છે. ગેળ બિન્દુ ઉપર કે તેવા જ પદાર્થ ઉપર દષ્ટિને સ્થાપન કરીને ખુલ્લી આંખે તે પદાર્થ તરફ જોયા કરે છે. દષ્ટિને ત્યાંથી જરા પણ ખસવા દેતા નથી. એકાદ મિનિટથી શરૂઆત કરી ધીમે ધીમે તેમાં વધારે કરી એકાદ કલાક કે તેથી પણ વધારે વાર દષ્ટિ સ્થિર કરે છે. દષ્ટિ બહાર સ્થિર થાય, ત્યાર પછી અંદરના ભાગમાં મનને સ્થિર કરવાની શક્તિ આવે છે. ધ્યાનનો અખંડ પ્રવાહ એક ધયેયમાં ચાલુ રાખવાનું બળ આવે છે. પરબ્રહ્મ જે સિદ્ધ સ્વરૂપ-આત્મસ્વરૂપ છે તેમાં કે એકાદ સાગણમાં મનને સ્થિર કરવાનું કે જોડી આપવાનું કામ શરૂઆતમાં કઠણ થઈ પડે તેમ છે માટે પ્રથમ સાકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy