SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૩૭ ] ઇદ્રિએ આ વાત ઉપર ખાસ ધ્યાન આપવું. જે તેમ કરવામાં નહિ આવે તે પછી બળાત્કારે પણ આ આજ્ઞા તે મન તથા ઇદ્રિને મનાવવી પડશે. ટૂંકમાં પ્રત્યાહારનું લક્ષણ એવું છે કે ઇંદ્રિયોના વિષયોમાંથી મનને ખેંચી લેવું. તેમ થતાં ઇક્રિયે પિતાની મેળે જ વિશ્રાંતિ લેશે, કારણ કે મનની મદદ વિના ઈદ્રિયે કાંઈ પણ કરી શકતી નથી. - નિરંતરને પ્રત્યાહાર એ છે કે, ગમે તેવા ઈષ્ટ કે અનિષ્ટ વિષ આવી મળે છે તેમાં રાગ, દ્વેષ ન કરતાં-કાંઈ પણ આસક્તિ ન રાખતાં સમભાવે તેમનો અનુભવ કરી લે. ફરી તેમને યાદ પણ ન કરવા. મનને પરમાત્મ ભાવ તરફ એટલું બધું વાળી દેવું કે તે ખાવાપીવાને અનુભવ કરતાં તેમાં કે સ્વાદ કે કેવી સુગંધ હતી, કેવું રૂપ હતું તેનું ભાન પણ ન રહે અને ભાન થાય તે પણ તેમાં જરા પણ આસક્તિ કે રાગદ્વેષની લાગણી ઉત્પન્ન ન થાય. આમ થાય તે ખરે જ્ઞાનમાર્ગને પ્રત્યાહાર સિદ્ધ થયે ગણાય. આમ ન બની શકે તે વિચારશક્તિ દ્વારા તેના સ્વરૂપને વિચાર કરી વિવેક દ્વારા આસક્તિ હઠાવવી. તેમ પણ ન બની શકે તે શરૂઆતમાં હઠયોગના પ્રગથી એટલે બળાત્કારથી તેને રોકવાનો પ્રયત્ન ઠીક લાગે તેણે કરે. ઉપરના પ્રયોગો સાવિક છે. હઠને પ્રયાગ તામસી છે. કેટલીક વખત તામસિક ગુણ ઘણે ઉપયોગી થઈ પડે છે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણ કરવી. ગમે તેવા લલચાવનારા વિષય તરફ પણ ઇઢિયે તેને અનુભવ લેવા ખેંચાય નહિ ત્યારે સમજવું કે પ્રત્યાહાર સિદ્ધ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy