________________
[ ૨૩૨ ]
ધ્યાનદીપિકા
જેનું હૃદય પવિત્ર થયેલું છે તેને પ્રાણાયામને અભ્યાસ કર્યા સિવાય તેનું મન વિચારોથી જ સ્વાધીન થઈ જાય છે. વિચારો કરતાં કે વસ્તુતવનું–પરમાત્મસ્વરૂપનું લક્ષ લઈ તેમાં ધ્યાન આપતાં જ મન સાથે પવન પણ સ્થિર થઈ જાય છે. હઠયોગના કાયાને કલેશ આપનારા લાંબેં કાળના અભ્યાસે જે પવનને જય થાય છે, તે આ રાજયોગના આત્મ સંબંધી વિચારથી જ-આત્મસ્વરૂપમાં જાગૃતિ પામવાથી જ મન જિતાવા સાથે પવન પણ સ્થિર થઈ પરમ સમાધિદશા પામી શકે છે તેમાં જરા પણ સંશય જેવું નથી. પૂર્વે જે પવનની ધારણું બતાવી છે તે કામ કર્યા સિવાય પણ શાંત વિચાર કરી મનને આખા શરીરમાં વ્યાપ્ત કરી દેવાની ટેવ પાડવામાં આવે છે, તે પણ મન સાથે પવનને ય થઈ જાય છે. વિશેષ એટલો છે કે તે સાધકનું મન વિશુદ્ધ થયેલું હોવું જોઈએ. લોકપરલોકના ભોગરૂપ મળતી વાસના ઊડી જવી જોઈએ. જેમ જેમ ઈચ્છાનો ત્યાગ થાય છે, પરમ પ્રબળ વૈરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ મન શુદ્ધ થતું ચાલે છે. - વૈરાગ્યને અર્થ અહીં એ લેવાનો નથી કે ઘરબાર, બેરી, છોકરાં, કુટુંબને રઝળતાંરવડતાં મૂકી સાધુ થઈ જવું ત્યાગીને વેષ પહેરી લે. આવા ઘરબારનો ત્યાગ કરનાર ત્યાગીઓની આ દુનિયા ઉપર કાંઈ પણ ખેટ નથી-ઓછી સંખ્યા નથી. પણ તેમનાથી વપરનું કાંઈ પણ સાધી શકાતું નથી, ત્યાગ નામ એ છે કે આસક્તિને ઉડાવી દેવી, મમતાને મારી નાખવી, ઈચ્છાઓને વીંધી નાખવી, આશાને બાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org