SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૨ ] ધ્યાનદીપિકા થાય છે, અને બાકીના ડૂચા તરીકે મળ થેાડા જ રહે છે, તથા ગુદાના રોગેાના નાશ થાય છે. ઉદાનવાયુના જયથી પ્રાણને બહાર કાઢી શકાય છે, દશમા દ્વારથી પ્રાણ ત્યાગ કરી શકાય છે, પાણી તથા કાદ વથી શરીરને ખાધ થતા નથી. બ્યાનવાયુના જયથી ટાઢ કે તાપ લાગતાં નથી. ગમે તેવા તાપ હોય કે ગમે તેવી ટાઢ હાય તેને સહન કરવાનું ખળ આવે છે. શરીરનું તેજ વધે છે, અને ચામડીના રોગે થતા નથી. ટૂંકામાં વાચુ જય થયાની નિશાની એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીડાકારક રાગ કે દુઃખ થતું હેાય ત્યાં ત્યાં તે તે ભાગ ઉપર પવનને કુ'ભક કરી સ્થિર કરવા. ઘેાડા જ વખતમાં તે રાગ કે દુઃખ નિવૃત્ત થાય ત્યારે સમ જવું કે પવન જિતાઈ ગયેલ છે. પવન જયના અભ્યાસ કર્યા પછી મનના જય કરવા માટે પ્રયત્ન કરવા. મનેાજયના અભ્યાસ સિદ્ધાસન કરી સ્થિર ટટાર બેસવુ. પ્રથમ રેચક કરી અંદરના તમામ મિલન વાયુને ખહાર કાઢી નાખવેા. પછી નાસિકાના ડાબા છિદ્રથી ધીમે ધીમે પવનને અંદર ખે ́ચી, પુરાય તેટલા પૂરવા. મનથી ધારણા કરવી કે પગના અંગૂઠા સુધી પવન પુરાયેલા છે. પવનની સાથે મન પણ ધારણાથી ધારેલા સ્થળે રહે છે. એટલે પ્રથમ ધારણા કરવી અને તે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy