SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૧૩ ] વાક્યોની ટુંકી ને રાખી વારંવાર (નિરંતર) તેનું વાંચન અને મનન કરવું ઈત્યાદિ સ્વાધ્યાય કહેવાય છે. તેમ જ મનની વિશુદ્ધિ કરવા માટે, સ્વાધ્યાય તરીકે પિતાના કેઈ પણ એક ઈષ્ટ દેવને મંત્ર લઈ તેનો જાપ કરે. ગમે તે જાતને મંત્ર લે, પણ તેના ઉપર આપણને પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા હોવી જોઈએ કે તે મંત્ર પરમાત્માના નામને જણાવનાર છે. આ મંત્ર ઘણો ટુંકે એટલે થોડા અક્ષરને હોવો જોઈએ, કારણ તેનું વારંવાર રટણ-સ્મરણ કરવાનું છે. તેમ જ તેના ટુંકા અર્થ ઉપર પણ ધ્યાન આપવાનું છે, તે લાંબા મંત્રમાં બનવું કઠિન પડે છે. આંખો ખુલ્લી રાખી, મન હદયમાં રાખી–એટલે અંતરદષ્ટિ હૃદયમાં રાખી જાપ કરે. જાપ કરતી વખતે બીજા વિચારે અંદર ન આવી જાય તે માટે બહુ સાવચેતી રાખવી. જાપના અખંડ પ્રવાહ વચ્ચે બીજા વિચારો મનમાં આવી તે પ્રવાહને તેડી નાખે છે. તેથી તે જાપને જે મજબૂત સંસ્કાર મન ઉપર થ જોઈએ તે થતો નથી. આપણે જાણીએ છીએ કે ખેતરમાં અનાજ વાવ્યું હોય તે છોડવાને જમીનમાંથી પોષણ મળે છે, પણ તે છોડવાની સાથે બીજા ફાલતુ ઘાસના કે તેવા જ બીજી જાતિના અંકુરો કે છેડવાઓ ઊગી નીકળ્યા હોય તે તે છોડવાઓ, અનાજના છેડવાને જે રસ મળતું હોય તેમાંથી ભાગ પડાવે છે અને પિતે પણ વધવા માંડે છે, આ વેળાએ તે છોડવાઓને ખેડૂતો નીંદી નાખે છે કાઢી નાખે છે. જે તેમ ન કરે તો અનાજના છેડવાને પૂરતું - પિષણ ન મળવાથી તે જોઈએ તેવું અનાજ આપી શકતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy