SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ] ધ્યાનદીપિકા નથી કે ફળતા નથી આ જ પ્રમાણે ચાલતા પરમાત્મસમર રણના પ્રવાહને તેડી નાખનાર-આડું પોષણ મેળવી જનાર અંકુરો સમાન અન્ય વિચારેને કાઢી નાખવા જોઈએ-મૂળથી ઉખેડી નાખવા જોઈએ; તેથી પરમાત્મસ્મરણની આબાદ અસર મન ઉપર થાય છે. | મન વિચારતરમાં ન જાય તે માટે જે મંત્રનો જાપ ચાલુ છે તેના અર્થ ઉપર લક્ષ સાથે જ આપતા રહેવું. એટલે તે મંત્ર જેના નામને છે તેના સ્વરૂપને ભાસ સાથે જ મનમાં થયા કરે અને તે સ્વરૂપને જ નમસ્કાર કરીએ છીએ તેવી મનમાં જાગૃતિ રાખતા રહેવું. મંત્ર તરીકે ટુંકા અક્ષરને મંત્ર જેમ કે અહં નમ: આ મંત્ર ગંભીર અર્થ સાથે, પરમાત્માના સત્ય સ્વરૂપને બોધક છે. અહિં એટલે લાયક અર્થ થાય છે. જેઓ સંપૂર્ણ રીતે લાયક છે, જેનાથી આગળ લાયકાત જેવું કાંઈ છે જ નહિ તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ તેને નમસ્કાર કરું છું. અથવા જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે તે સર્વે અનું છે તેને નમસ્કાર કરું છું. - આ મંત્રનો જાપ ઓછામાં ઓછો નિરંતર દશ હજારને થવો જોઈએ. તેથી મનની વિશુદ્ધિમાં ઘણી સારી મદદ મળે છે. પરિણામની વિશુદ્ધિ વિના મનની વિશુદ્ધિ થતી નથી અને મનની વિશુદ્ધિ તે આત્માની જ વિશુદ્ધિ છે. તે સિવાય પણ નિરંતર હાલતાં, ચાલતાં જાપ ચાલુ રાખ. દશ હજાર ન બની શકે તે પછી જેટલો બને તેટલે જાપ કરે, પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy