SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૧૧ ] પણ તપથી નિર્જરે છે. તપ કરવાથી જેમ શરીર દુર્બળ થાય છે તેમ મનને પણ દુર્બળ કરતા જવું જોઈએ. ઈચ્છાઓ મરવાથી જ મન દુર્બળ થાય છે. ઈચ્છાઓને હઠાવવી તે ખરેખર તપ છે, ઘણી વખત માણસ ઘણું દિવસો સુધી શરીરને ખોરાક આપતા નથી પણ સાથે ઈચ્છાઓનો નાશ કરતા ન હોવાથી દુર્બળ થયેલ શરીર પાછું ખોરાક લેવાથી મજબૂત થાય છે. અને ઈચ્છાઓ પહેલાં કરતાં પણ એક ડગલું આગળ વધે છે. અમુક વખત સુધી ખાવાની ઈચ્છા રોકી તે સાથે શરીર દુર્બળ થતાં મનના કે શરીરના વિકારો. પણ દુર્બળ થાય છે પણ વખત જતાં પાછું પૂર્વનું રૂપ ધારણ કરે છે, કેમકે તેમાં આશાઓનાં-ઈચ્છાઓનાં બીજ રહેલાં છે. માટે તપશ્ચર્યા એવી કરવી જોઈએ કે ઈચ્છાઓનો પણ સાથે નાશ થઈ જાય. ઘણી વખત અજ્ઞાન દશામાં આ તપશ્ચર્યા જ ઈચ્છાની વૃદ્ધિનું કારણ બને છે, એટલે કોઈ પણ પ્રકારના, પછી તે આ ભવનું હોય કે પરભવનું હોય, પણ કઈ જાતના સુખની આશાથી તપ કરવામાં આવે છે. તપ કરવાથી આપણને પુત્ર, પુત્રાદિની ધનની કે બીજી કોઈ પણ જાતની પ્રાપ્તિ થશે અથવા અન્ય જન્મમાં, દેવપણાની, રાજયની કે વહાલા મનુષ્યના મેળાપની પ્રાપ્તિ થશે. આવી ઇચ્છાવાળા તપો કરવાથી કર્મ ખપતાં નથી, પણ ઊલટા શુભ કર્મમાં વધારે થાય છે. . તપ એવી રીતે કરવું જોઈએ કે ઈદ્રિયોની હાનિ ન થાય, જ્ઞાનધ્યાનમાં ઓછાશ ન થાય પણ મનની શાંતિ સાથે વિષયોની ઈચ્છાઓનો નાશ થતું રહે. અમુક વસ્તુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy