SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૮૧ ] પણ વર્ષાસન વધવાની લાલચથી રાજાને અનુકૂળ ઉપદેશ આપતો રહેતો. એક વખતે કોઈ જરૂરી કામપ્રસંગે તેને બહારગામ જવું પડ્યું. વખતે રાજા બીજા કામમાં ગૂંથાઈ જઈ કથા સાંભળવી બંધ કરી દે, અથવા કોઈ બીજા બ્રાહ્મણ પાસે વંચાવે આ શંકાથી તેણે ભણેલા પણ પ્રપંચ નહિ કરનારા પોતાના છોકરાને તેટલા દિવસ પોતાની ગેરહાજરીમાં કથા વાંચવા જવા સૂચવ્યું હતું. નિયમ પ્રમાણે છોકરો કથા વાંચવા રાજા પાસે ગયો. વાંચવામાં તે જ દિવસે એક એ કલેક આવે કે – तिलतुषमात्रमपि यो मांस भक्षते नरः । स याति नरकं घोरं यावच्चंद्रदिवाकरौ ॥१॥ જે મનુષ્ય તલના દાણા જેટલું પણ માંસ ભક્ષણ કરે છે તે ઘોર નરકમાં જાય છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર આ દુનિયા પર રહે ત્યાં સુધી તે નરકમાં રહે છે, અર્થાત્ ઘણું લાંબા વખત સુધી નરકમાં દુઃખ જોગવે છે. આ છોકરે સરલ સ્વભાવને હોવાથી શ્લોકનો યથાર્થ અર્થ કરી આગળ વાંચવા લાગ્યો. રાજાએ તે કલેકને અર્થ સાંભળી વિચાર કર્યો કે હું પણ માંસ ખાવાથી નરકે જવું પડે છે, તે અમારાથી માંસનો ત્યાગ બની શકે તેમ નથી. નરકે તે જવું જ પડશે. તે પછી કથા સાંભળવાથી શું ફાયદો થવાનો છે? ફેગટ વખત ગુમાવ અને વર્ષો સન ભરવું; ઈત્યાદિ વિચાર કરી કથા બંધ કરાવી. બ્રાહ્મણને પોતાનો અભિપ્રાય જણાવી, હવેથી કથા વાંચવા ન આવવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy