________________
ધ્યાનદીપિકા
[ ૧૪૩ ]
પુણ્ય એ પિતાના સારા આચરણનું પરિણામ છે. સારાં કર્તવ્યોનો બદલો આપનારાં બીજ તેમાં છે. તેનાથી અનુકૂળ સંયોગે આવી મળે છે. તે પૂરાં થઈ જતાં, જેમાં નઠારા કર્તવ્યના બદલામાં બીજે રહેલાં છે, તેમાંથી પાપનાં ફળ બહાર આવે છે તેને લઈને દુઃખને અનુભવ કરે છે સુખનાં સાધને નાશ પામે છે યા અન્ય સ્થળે તે જ રૂપાંતરે ચાલ્યાં જાય છે. આથી જ દુઃખી થાય છે.
હવે જે મનુષ્ય વિચારવાની જ હોય તે, ગઈ વસ્તુનો શોચ ન કરતાં સમજીને મનને શાંતિ વાળે કે જે કારણથી તેઓ આવ્યા હતા તે કારણ મારી પાસે પૂરું થઈ રહ્યું છે. ફરી તે જ કે તેવી વસ્તુની જરૂરિયાત જ હોય તે પાછાં તેવાં સારા કર્તવ્ય કરી પુણ્ય ઉપાર્જન કરું કે તે વસ્તુઓ પાછી મને આવી મળે. ગઈ વસ્તુને શોચ કરવાથી તે પાછી આવવાની નથી તો કેવળ કલ્પાંત કરી વખત નકામો કાઢી આધ્યાન કરી, નવીન કર્મબંધ કરે તેના કરતાં તે જ વખતને ચગ્ય રસ્તે સારો ઉપયોગ કરી લઉં કે ફરીને પાછો આવી સ્થિતિમાં આવી ન પડું. ખરેખર, આ જ્ઞાન કે વિચાર માણસોમાં ઘણો ઓછો હોવાથી, આ સીધે રસ્તે માણસો આવી શક્તા નથી, તેથી જ તેમને આ સંસાર દુઃખમય ભાસે છે. તેમ ભાસવા છતાં પણ પાછા તે વાતને ભૂલી જાય છે. કાંઈક અનુકૂળ સંગે મળી આવતાં થયેલ વિગનાં દુઃખ વિસારે પડે છે અને આ અનુકૂળ સંયોગમાં આનંદ માને છે, પણ વખત જતાં આ અનુકૂળતા પણ વીખરાઈ જાય છે ત્યારે ફરી પણ પૂર્વની માફક શેક-આકંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org