________________
ધ્યાનદીપિકા
[ ૧૨૭ ]
એક વસ્તુના ઉપર ચિત્તનો નિરોધ કરે તેને જિનેશ્વરે ધ્યાન કહે છે. દઢ સંહનનવાળા મુનિને પણ તે અંતરમુહૂર્ત સુધી હોય છે.
છમોનું જે માન છે તે અંતરમુહૂર્ત પ્રમાણે હોય છે, કર્મોના સમૂહને નાશ કરનાર વેગના નિષેધરૂપ ધ્યાન જિનેશ્વરેને હોય છે.
જે એક ચિતારૂપ નિરોધ છે તે ધ્યાન કહેવાય છે. તે સિવાયની મનની અવસ્થાને ભાવના અથવા અનુપ્રેક્ષા અથવા પદાર્થ ચિતારૂપ ધ્યાન સંતાન કહે છે.
ભાવાર્થ –એક વસ્તુના ઉપર ચિત્તને નિરોધ કરે એટલે મનને એક વસ્તુ ઉપર જ રોકી રાખવું તેનું નામ ધ્યાન કહેવાય છે.
જેમાં ગુણપર્યાય તે વસ્તુ કહેવાય છે. આત્મા કે જડ કઈ પણ વસ્તુ ઉપર મનને રોકી શકાય છે, બહાર કઈ પણ જડ વસ્તુ કે તેની આકૃતિ, ભગવાનની પ્રતિમાજી વગેરે વસ્તુ ઉપર દષ્ટિ સ્થાપન કરી, દષ્ટિ સાથે મનને રોકી રાખવું. અંતરમાં કઈ પણ આત્માનો ગુણ ધયેય તરીકે લે. જેમ કે હું આનંદસ્વરૂપ છું કે જ્ઞાનસ્વરૂપ છું, અથવા આખા આત્માને ધ્યેય તરીકે લે એટલે તેના ગુણ કે આત્મા તરફ મનને પ્રેરીને તેના ઉપર જ ચૂંટાડી રાખવું. વચમાં તે ગુણના લક્ષ સિવાય બીજો કોઈપણ સંકલ્પ ઉત્પન્ન થવા ન દેતાં તે ગુણ તરફ મનને અખંડ પ્રવાહ ચલાવો મનને નિઃપ્રકંપ (નિશ્ચલ) રીતે તેના ઉપર સ્થાપન કરવું (ધારી રાખવું). વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org