SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૮ ] ધ્યાનદીપિકા શિખાની માફક અડાલ રાખવું. વિકલ્પરૂપ વાયુ વડે ચલાય માન ન થાય તેવી રીતે સ્થિર કરવુ. આનું નામ યાન કહેવાય છે. શરૂઆતમાં મન કાંઈ આવી રીતે સ્થિર રહેતુ નથી, માટે ખહાર કેાઇ ચીજ ઉપર પ્રથમ દૃષ્ટિ સાથે મનને સ્થિર કરવાના અભ્યાસ પાડવા. આ સખ ́ધી ભગવાન મહાવીરસ્વામીજીએ ગૌતમ સ્વામીને એક વખત પેાતાના વૃત્તાંત જણાવતાં કહ્યું હતું તે સબંધી હકીકત આ પ્રમાણે ભગવતી સૂત્રમાં છે કે, હું ગૌતમ! એક વખત હું એક માટીના ઢેફા ઉપર દૃષ્ટિ સ્થાપન કરી એક અહારાત્રી પ°તની મહાપડિમા (અભિગ્રહ) કરી રહ્યો હતા. મતલખ કે તે મહાપ્રભુએ અનિમેષ દૃષ્ટિએ એક અહારાત્રી પર્યંત મનને એક જ નિશાન કે લક્ષ ઉપર રોકી રાખવા સુધી પ્રયત્ન કર્યો હતા. બહારÈષ્ટિ અમુક લક્ષ ઉપર રાખવી તે એક નિશાન છે તે બહારષ્ટિ સાથે આંતર્દષ્ટ હૃદયમાં કે ભ્રકુટી આદિ સ્થાનામાં રાખવામાં આવે છે અને તે સ્થળે જેમ એકાદ ચપળ સ્વભાવવાળી નાસભાગ કરવાવાળી ગાય કે ભે`સને ખીલે ખાંધવામાં આવે છે તેમ અંતહૃદયમાં શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરનાર સિદ્ધ પરમાત્મા કે જીવન્ત દેહધારી અરિહતાદિની સાક્ષાત મૂર્તિની સ્થાપના કરી, આ શુદ્ધ સ્વરૂપ પર માત્મા હું છું, મારું તેવુ જ શુદ્ધ સ્વરૂપ છે વિગેરે ભાવનાવાળી વૃત્તિ કરી, તે સ્થાનમાં મનને તે મહાપ્રભુના સ્વરૂપરૂપી ખીલા સાથે બાંધી મૂકવામાં-રોકવામાં આવે છે, જેથી મનની તે વ્રુત્તિઓ પેાતાની ચપલતાને મૂકી દઈ શુદ્ધ આત્મસ્વરૂપમાં પેાતાનુ' ભાન ભૂલી લય થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy