________________
[ ૧૧૮ ]
ધ્યાનદીપિકા
આ ધર્મધ્યાનામૃતનું પાન કરવા પહેલાં અજ્ઞાનને દૂર કરજે, જડતન્યનું વિવેકજ્ઞાન પહેલું કરજે. તે સિવાય તારે ત્યાગ નિષ્ફળ થશે એટલું જ નહિ, પણ તે ત્યાગ ઊલટો સંસારપરિભ્રમણનું કારણ થશે. આત્મા એ જ પ્રાપ્તવ્ય સમજજે. તેને માટે જ તારી સર્વ પ્રવૃત્તિ હેવી જોઈએ. ક્ષણ ભર પણ તારું લક્ષ્યબિંદુ-મૂળ કર્તવ્ય-પ્રાપ્તવ્યથી વિમુખ હોવું ન જોઈએ. આ સ્થિતિ મેળવવા માટે મેહનિદ્રાને સદાને માટે ત્યાગ કરજે. ચાલુ નિદ્રા જેટલી દુઃખરૂપ નથી, તેથી હજારો ગણી મેહનિદ્રા દુઃખરૂપ છે, આત્મધ્યાનમાં વિદનભૂત છે. આત્માની નજીક પહોંચવા આવેલાઓને પણ વિશેષ દૂર ખેંચી જનારી છે. નિદ્રા ત્યાગ કરવી એટલે જાગ્રત રહેવું–જાગતા રહેવું, ક્યાં? શેમાં જાગતા રહેવું? પિતાના કર્તવ્યમાં-આત્માના ઉપયોગમાં. સ્વરૂપમાં જે જાગતે છે તે જ તાત્વિક રીતે જાગતે છે.
નિર્દોષ થજે. રાગદ્વેષાદિ દે, મલિન વિચારે, તેને ત્યાગ કરી, સ્થિર થજે. અસ્થિર અંતઃકરણને ધર્મધ્યાનમાં સ્થિર કરજે. ચાલુ સાધ્ય સિવાય અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહીં-જવા દઈશ નહિ તે જ ધર્મધ્યાનરૂપ અમૃતરસનું પાન થશે. તે જ અજરામરપદ પ્રાપ્ત થશે. તે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા સરખી પણ ન રાખીશ.
ध्याता ध्यानं च तद्ध्येयं फलं चेति चतुर्विधम् । सर्व संक्षेपतो मत्वा स्वार्तध्यानादिकं त्यजेत् ॥५५॥ ધ્યાન કરનાર, ધ્યાન, ધ્યાન કરવા લાયક ધ્યેય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org